ભાવનગર: સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યના અનેક ખેડૂતો શિયાળુ પાક તૈયાર થઈ ગયા બાદ ઉનાળુ પાકોનું વાવેતર કરતા હોય છે, જેમાં અનેક ખેડૂતો તલનું પણ વાવેતર કરતા હોય છે. પરંતુ તલનું વાવેતર કરવા માટે કેવા પ્રકારની તૈયારી કરવી તે ખૂબ જ મહત્વનું છે. સૌપ્રથમ ઉનાળુ તલનું વાવેતર કરવું હોય તો તેના માટે કેવા પ્રકારની જમીન અનુકૂળ રહે છે, જમીનની તૈયારી કેવી રીતે કરવી, વાવણીનો સમય, જાતની પસંદગી, બીજ માવજત વગેરે તલનું વાવેતર કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે.

