ઘરે કુંડામાં પાલક કેવીરીતે ઉગાડવું, શું સાવચેતી રાખવી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Residence Vegetable Backyard Concepts : લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં મેથી, મૂળા, સરસવની ભાજી, બથુઆ અને પાલક પુષ્કળ પ્રમાણમાં મળે છે. પાંદડાવાળા લીલા શાકભાજી ઝડપથી સૂકાઈ જાય છે, તેથી જ તે બજારમાંથી ખરીદયા બાદ તરત જ અથવા 1-2 દિવસમાં તેનું શાક બનાવી દેવું પડે છે. 

ઘણી વખત આપણે લીલા શાકભાજી ખરીદ્યા બાદ તેને તરત જ બનાવી શકતા નથી. આવી સ્થિતિમાં તે કરમાઇ જાય છે અને તેમનો સ્વાદ પણ બગડી શકે છે. જો તમે ઘરે તાજા લીલા શાકભાજી ખાવા માંગતા હોવ, તો તેને ઘરે ઉગાડવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. સપ્ટેમ્બર મહિનામાં કેટલાક શાકભાજીના બીજ વાવીને, શિયાળા સુધીમાં તેમનો પાક તૈયાર થઈ શકે છે. જેમા પાલક પણ સામેલ છે. સહિત.

જો તમે ઘરે પાલક ઉગાડવાનું વિચારી રહ્યા છો, તો આ સીઝન યોગ્ય હોઈ શકે છે. પાલક ઉગાડવા માટે ઠંડા હવામાનની જરૂર હોય છે. જો તમારી પાસે તે ઉગાડવા માટે જગ્યા નથી, તો ચિંતા કરશો નહીં. ખરેખર, અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કુંડા અથવા કન્ટેનરમાં પાલકના બીજ કેવી રીતે રોપવા. જેથી તમારે તેને બજારમાંથી ખરીદવાની જરૂર નહીં પડશે. ચાલો જાણીએ ઘરે પાલક કેવી રીતે ઉગાડવું.

સૌથી પહેલા કુંડુ પસંદ કરો

પાલક ઉગાડવા માટે સૌપ્રથમ યોગ્ય કુંડુ કે કન્ટેનર પસંદ કરવું જરૂરી છે. જો કન્ટેનર નાનું છે, તો છોડના મૂળને ફેલાવવામાં સમસ્યા થઈ શકે છે. જો તમારા ઘરમાં ઓછી જગ્યા હોય, તો તમે પોટ અથવા કન્ટેનરમાં પાલક રોપી શકો છો. આ માટે, લગભગ 6 થી 8 ઇંચનું કુંડુ અથવા કન્ટેનર પસંદ કરો. તેના તળિયે પાણીના નિકાલ માટે કાણા હોવા જોઈએ જેથી અંદર પાણી ભરાવાની કોઈ સમસ્યા ન રહે.

માટીનું મિશ્રણ તૈયાર કરો

પાલકના સારા વિકાસ માટે યોગ્ય માટીની પસંદગી જરૂરી માનવામાં આવે છે. આ માટે 40 ટકા સામાન્ય માટી, 30 ટકા કમ્પોસ્ટ અથવા વર્મીકમ્પોસ્ટ, 20 ટકા કોકોપીટ અને 10 ટકા રેતી લો. માટી તૈયાર કરવા માટે આ બધાને સારી રીતે મિક્સ કરો અને તેને કુંડા અથવા કન્ટેનરમાં ભરો.

પાલકના બીજ વાવો

એકવાર માટી તૈયાર થઈ જાય, પછી પાલક રોપવા માટે તંદુરસ્ત બીજ પસંદ કરો. નર્સરીમાંથી તમે બીજ ખરીદી શકો છો. પાલના બીજ લગભગ 1 થી 1.5 સેમી નીચે માટીમાં દબાવો. બીજને અંકુરિત થવા માટે પૂરતી જગ્યા આપવા માટે બે બીજ વચ્ચે લગભગ 2 થી 3 ઇંચનું અંતર રાખો. હવે તેની ઉપર થોડી માટી છાંટી લો.

યોગ્ય સંભાળ મહત્વપૂર્ણ 

કુંડામાં પાલકના બીજ રોપ્યા પછી ઉપર સહેજ પાણી છાંટો. જમીનમાં ભેજ રાખો પણ વધુ પાણી ન આપો. બીજને અંકુરિત કરવાનું સરળ બનાવવા માટે દરરોજ થોડું થોડું પાણી આપો. કુંડુ અથવા કન્ટેનર એવી જગ્યા પર મૂકો જ્યાં તેને ઓછામાં ઓછા 4 થી 6 કલાક સૂર્યપ્રકાશ મળી શકે. જો કે, છોડને વધુ પડતા સૂર્યપ્રકાશથી બચાવો.

આ પણ વાંચો | કેપ્સિકમનો છોડ કુંડામાં કેવી રીતે ઉગાડવો? આ રીતે સંભાળ રાખવાથી ઝડપથી શિમલા મિર્ચ ઉગી નીકળશે

પાલકની લણણી

પાલકના બીજને અંકુરિત થવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગી શકે છે. પાલક બીજ વાવ્યા પછી લગભગ 25 થી 35 દિવસ પછી લણણી માટે તૈયાર થઈ શકે છે. આ પછી, તમે તેના મોટા પાંદડાનો ઉપયોગ કરી શકો છો. જો કન્ટેનર ખૂબ પહોળું ન હોય, તો તમે બેથી ત્રણ કન્ટેનરમાં પાલકના બીજ રોપી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *