બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંકીપુરના પરિણામો બાદ ભાજપનો એક વર્ગ માને છે કે યુપીની ચૂંટણી નજીક આવતાની સાથે પાર્ટી પર ઉચ્ચ જાતિ અથવા સવર્ણ સમુદાયનું દબાણ વધી શકે છે.
યુપીમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે. અહીં ભાજપને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)ના નિયમોને લઈને વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજપૂત કરણી સેનાએ 3 ઓગસ્ટે રાજસ્થાનના જયપુરમાં યુજીસીના નિયમો વિરુદ્ધ એક મોટી રેલી યોજી હતી. આ દરમિયાન પોલીસે રાજપૂત કરણી સેનાના કાર્યકરોને ભાજપ કાર્યાલય તરફ જતા અટકાવ્યા હતા.
જંતર-મંતર પર થયું હતું વિદ્યાર્થીઓનું આંદોલન
હાલના દિવસોમાં દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન થયું હતું. ભાજપના એક નેતા કહે છે કે જંતર-મંતર પર આંદોલનની શરૂઆત આંબેડકરવાદીઓથી થઇ હતી અને પછી ડાબેરીઓ પણ તેમાં જોડાયા હતા, પરંતુ ઉચ્ચ જાતિના લોકોની મોટી ભાગીદારી અને સહાનુભૂતિને કારણે આ આંદોલન મોટું બન્યું હતું.
બાંકીપુરના પરિણામો બાદ ભાજપે સ્વીકાર્યું છે કે યુજીસીના નિયમોને લઈને ઉચ્ચ જાતિના લોકોમાં નારાજગી આ બેઠક પરની હારનું મુખ્ય કારણ છે. પાર્ટીને ઉત્તર પ્રદેશ વિશે પણ આવી જ ચિંતા છે.
સવર્ણ સમુદાયે વિરોધ કર્યો હતો
યુજીસીના નિયમોનો સવર્ણ સમુદાયના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને તેને પાછા ખેંચવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નિયમોને કારણે જાતિને લઇને વિભાજન વધશે અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પરેશાન કરવામાં આવશે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને કોર્ટે યુજીસીના નિયમો પર રોક લગાવી હતી.
ઉત્તર પ્રદેશમાં ભાજપ સાથે જોડાયેલા બ્રાહ્મણ અને ઠાકુર સમુદાયના ઘણા નેતાઓનું કહેવું છે કે યુજીસીના નિયમોને લઈને સવર્ણ સમુદાયમાં નારાજગી છે.
સુલતાનપુર જિલ્લામાં ભાજપ સાથે સંકળાયેલા બ્રાહ્મણ સમુદાયના ભાજપના નેતાએ સવર્ણ સમુદાયની નારાજગી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સામાન્ય રીતે યુજીસીના નવા નિયમોની જરૂરિયાત પર સવાલ ઉઠાવે છે. તેમની દલીલ છે કે મુશ્કેલ સમયમાં અને રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન ભાજપનો સાથ આપ્યો, જ્યારે ઓબીસી અને દલિત પાર્ટીની પાછળ એક થયા ન હતા, તેઓ બૂથ પર ભાજપ માટે લડ્યા હતા. તે સવાલ કરે છે કે કો પછી ભાજપે એવો નિર્ણય કેમ લીધો જેનાથી તેમને નુકસાન થશે.
બ્રાહ્મણ સમાજના મત મળવાનો વિશ્વાસ
પ્રતાપગઢ જિલ્લાના એક બ્રાહ્મણ નેતાનું કહેવું છે કે તેમને વિશ્વાસ છે કે નારાજગી હોવા છતાં બ્રાહ્મણ સમુદાય પાર્ટીને મત આપશે. બ્રાહ્મણોનો એક વર્ગ કહે છે કે જો તેઓ ભાજપ વિરુદ્ધ જવાનું નક્કી કરે છે તો તેઓ બહુજન સમાજ પાર્ટીને મત આપી શકે છે, પરંતુ તેઓ સમાજવાદી પાર્ટી સાથે જવાની સંભાવના ઓછી છે કારણ કે તેઓ સપાના યાદવ મતદારો સાથે સારું અનુભવતા નથી.
અયોધ્યામાં સવર્ણ જાતિના એક નેતાએ કહ્યું કે પેપર લીક થવાના વિરોધમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના દબાણ હેઠળ રાજીનામું આપવાને બદલે ધર્મેન્દ્ર પ્રધાને યુજીસીના નિયમો પર રાજીનામું આપ્યું હોત તો સારું થાત. આનાથી સામાન્ય જ્ઞાતિઓમાં સકારાત્મક સંદેશ ગયો હોત પરંતુ ત્યારે ભાજપના નેતાઓ ચૂપ રહ્યા હતા.
ભાજપ વિરુદ્ધ મત આપવાની ધમકી
એ જ રીતે લખીમપુર ખીરીના સવર્ણ સમુદાયના એક નેતાએ કહ્યું કે રાજ્યમાં યોગી આદિત્યનાથ સરકાર કરતાં ગુસ્સો વધુ કેન્દ્ર વિરુદ્ધ છે કારણ કે યુજીસીનો મામલો કેન્દ્ર સરકાર હેઠળ આવે છે. તેમણે કહ્યું કે જે રીતે ઠાકુરોએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ અને બાંકીપુર પેટાચૂંટણીમાં બ્રાહ્મણોએ મત આપ્યો હતો, તેવી જ રીતે ઉચ્ચ જાતિના લોકો 2027ની ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મત આપવાની ધમકી આપી રહ્યા છે.
સવર્ણ સમુદાયના નેતાએ કહ્યું કે કેન્દ્રએ તેનો ઉકેલ શોધવો પડશે કારણ કે જો 2029 માં કેન્દ્રમાં સત્તામાં પાછા આવવું હોય તો તેને ઉત્તર પ્રદેશ ગુમાવવાનું પોસાય તેમ નથી.
વારાણસીમાં ઠાકુર સમુદાયના એક નેતાએ જણાવ્યું હતું કે યુજીસીના નિયમો અને પેપર લીકના મુદ્દા પર દરેક ઘરમાં ચર્ચા થઈ રહી છે કારણ કે દરેક પરિવારમાં ઓછામાં ઓછો એક વિદ્યાર્થી હોય છે અને લોકો તેમના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે.
E20 મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું – દાળમાં કશું કાળું નથી આખી દાળ કાળી છે, જલ્દી શરુ કરશે અભિયાન
તેમનું કહેવું છે કે એક વખત ચર્ચા દરમિયાન સવર્ણ સમુદાયના એક વ્યક્તિએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર આ મામલે વધુ સારી છે કારણ કે તેણે સમાજને વિભાજિત કરવા માટે કોઈ કાયદો બનાવ્યો નથી.
નીતિન નબીને આપ્યું આશ્વાસન
ગયા મહિને આ મામલે ભાજપના નેતાઓની અનેક બેઠકો બંધ બારણે યોજાઈ હતી. આ બેઠકોમાં ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પાર્ટીના સાથીદારોને કહ્યું હતું કે ગભરાશો નહીં અને આવા મુદ્દાઓને જાતિના ચશ્માથી ના જોવા જોઇએ. આવી જ એક બેઠકમાં હાજર રહેલા પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષે તેમને ખાતરી આપી હતી કે યુજીસીના નિયમો પાછળ કોઈ ખરાબ ઇરાદો નથી અને સરકાર આ મામલાને સુધારશે.
આવી જ એક બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે યુપી ભાજપના નેતાઓને કહ્યું હતું કે તેઓ આ મામલે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ વિશે લોકોને માહિતગાર કરે.
2024ની લોકસભા ચૂંટણીમાં ઠાકુર સમુદાયના નેતાઓ ટિકિટ ન મળવાને કારણે નારાજ હતા અને એવું માનવામાં આવતું હતું કે ભાજપને 29 બેઠકો ગુમાવવાનું આ એક મોટું કારણ છે. ઠાકુર સમુદાયમાં આ અસંતોષને કારણે ભાજપે મુઝફ્ફરનગર, સહારનપુર અને કૈરાનાની બેઠકો ગુમાવી હતી, જ્યારે મેરઠ અને મથુરામાં પાર્ટીની જીતનું અંતર ઘટ્યું હતું. તેની અસર પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ પડી હતી.
રાજસ્થાનમાં રાજપૂત કરણી સેના દ્વારા સવર્ણ સમુદાયના લોકો યુજીસીના નિયમો વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.
રાજપૂત કરણી સેનાના પ્રવક્તાએ શું કહ્યું?
રાજપૂત કરણી સેનાના પ્રવક્તા વિજેન્દ્ર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ હવે હરિયાણામાં પણ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવશે. તેમણે કહ્યું કે સવર્ણ જાતિના લોકો ભાજપની સૌથી મજબૂત વોટ બેંક રહી છે, પરંતુ પાર્ટીનું ધ્યાન અન્ય વર્ગોમાં વિસ્તરણ કરવા પર છે. તેથી જ કેન્દ્ર સરકાર અમને હળવાશથી લઈ રહી છે, ઓબીસી, એસસી અને એસટી અનુસાર પોતાની નીતિઓ બનાવી રહી છે.
