Afghanistan earthquake : અફઘાનિસ્તાનના હિન્દુ કુશ વિસ્તારમાં 6.2 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જ્યારે તેના આંચકા પાકિસ્તાન, જમ્મુ-કશ્મીર અને દિલ્હી-NCR માં પણ અનુભવાયા હતા. આ દરમિયાન, નેટીઝન્સે ભૂકંપની તીવ્રતા અને અનુભવો શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપ 215 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, એક પ્રત્યક્ષદર્શીના હવાલાથી જણાવાયું છે કે ઉત્તર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાત જિલ્લામાં લોકો ગભરાટમાં પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનામાં તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
પાકિસ્તાનમાં 24 કલાકમાં 4 ભૂકંપ
યુરોપિયન-મેડિટેરેનિયન સીસ્મોલોજીકલ સેન્ટર (EMSC) ના જણાવ્યા અનુસાર, અગાઉ શુક્રવારથી શરૂ કરીને 24 કલાકના ગાળામાં પાકિસ્તાનમાં ચાર ભૂકંપ અનુભવાયા હતા, જેમાં સૌથી શક્તિશાળી ભૂકંપની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. આ શક્તિશાળી આંચકો શનિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 8:36 વાગ્યે 40 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના બલૂચિસ્તાન ક્ષેત્રમાં 30.271°N અને 69.733°E કોઓર્ડિનેટ્સ નજીક સ્થિત હતું.
આ 5.5 ની તીવ્રતાના ભૂકંપ પહેલાં શનિવારે સ્થાનિક સમય અનુસાર સવારે 6:15 વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે 10 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. શુક્રવારે બલૂચિસ્તાનમાં અન્ય બે આંચકા પણ આવ્યા હતા — સવારે 10:55 વાગ્યે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ, ત્યારબાદ સવારે 11:27 વાગ્યે 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો — આ બંને આંચકા 10 કિલોમીટરની ઊંડાઈએ ઉદ્ભવ્યા હતા.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/06/27/earthquake-afghanistan-2026-06-27-20-54-43.jpg)
યુરોપિયન મેડિટેરેનિયન સીસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં આવેલો આ તાજેતરનો ભૂકંપ શુક્રવારે જાપાનમાં પૂર્વી હોન્શુ નજીક આવેલા 5.8 ની તીવ્રતાના ભૂકંપના એક દિવસ પછી આવ્યો છે. EMSC ના જણાવ્યા અનુસાર આ ભૂકંપ 20 કિમી (12.43 માઈલ) ની ઊંડાઈએ હતો.
વેનેઝુએલામાં નવો ભૂકંપ
વેનેઝુએલામાં બે વિનાશક ભૂકંપોએ ઈમારતોને જમીનદોસ્ત કર્યાના ગણતરીના દિવસો બાદ, શનિવારે દેશના અરાગુઆ (Aragua) કિનારે રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતાનો નવો ભૂકંપ આવ્યો હતો.
EQ of M: 6.2, On: 27/06/2026 19:04:51 IST, Lat: 36.442 N, Lengthy: 70.672 E, Depth: 215 Km, Location: Afghanistan.
For extra data Obtain the BhooKamp App https://t.co/5gCOtjdtw0@DrJitendraSingh@OfficeOfDrJS@DrNKalaiselvi@GSuresh_NCS@ndmaindiapic.twitter.com/lD494VYeiW— Nationwide Middle for Seismology (@NCS_Earthquake) June 27, 2026
દરમિયાન, વેનેઝુએલાના જોડિયા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને લગભગ 1,000 પર પહોંચી ગયો છે, કારણ કે બચાવ કામગીરી બીજા દિવસમાં પ્રવેશી છે. મર્યાદિત સંસાધનો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નબળા સરકારી પ્રતિભાવને કારણે નાગરિકોમાં આક્રોશ વધી રહ્યો છે.
રામ મંદિર ટ્રસ્ટે જાહેર કર્યું નિવેદન, કહ્યું – ભક્તો દ્વારા આપવામાં આવેલા ઘરેણાં, ચાંદીની ઇંટો સુરક્ષિત
શક્તિશાળી 7.2 અને 7.5 ની તીવ્રના ભૂકંપ આવ્યાના લગભગ 48 કલાક પછી કારાકાસ (Caracas) અને આસપાસના વિસ્તારોના સૌથી વધુ અસરગ્રસ્ત ભાગોમાં આંતરરાષ્ટ્રીય બચાવ ટીમો અને માનવતાવાદી સહાય પહોંચવા લાગી છે. સરકારી આંકડાઓ મુજબ પુષ્ટિ થયેલ મૃત્યુઆંક 920 પર પહોંચ્યો છે, જેમાં 3,360 લોકો ઘાયલ થયા છે અને 172 લોકો હજુ પણ ધરાશાયી થયેલી ઈમારતો નીચે ફસાયેલા હોવાનું મનાય છે.
બીજી તરફ, ગુમ થયેલા લોકોના અહેવાલો એકત્રિત કરતા એક ઓનલાઈન પ્લેટફોર્મ પર શુક્રવાર બપોર સુધીમાં 50,000 થી વધુ કેસ નોંધાયા હતા.
