maharashtra parbhani maruti temple accident : મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક મંદિરની છત તૂટી પડતાં 3 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છત અચાનક તૂટી પડી હતી જેના કારણે ઘટનાસ્થળે હાજર ભક્તો ફસાઈ ગયા હતા. રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો હતા
શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ કીર્તન અને મહાપ્રસાદ માટે હાજર હતા. બાંધકામ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. છત તૂટી પડવાથી સમગ્ર સંકુલમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી રહી છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
મંદિરમાં કિર્તન સહિત વિભિન્ન ધાર્મિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા હતા. મંડપ સભામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ભક્તો દર્શન કરી રહ્યા હતા ત્યારે અચાનક મંડપ સભાની છત ધરાશાયી થઇ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
કોલ્હાપુરમાં અમિત શાહે કહ્યું – ભારત કોઇ ધર્મશાળા નથી, આ દેશમાં ફક્ત તે જ રહેશે જેઓ અહીં જન્મ્યા છે
રિપોર્ટ પ્રમાણે જિલ્લાના યશવાડી ગામમાં હનુમાન મંદિરના સભા મંડપનો સ્લેબ શનિવારે બપોરે તૂટી પડ્યો હતો. મનવત રોડ પર સ્થિત આ ગામ છત્રપતિ સંભાજીનગરથી આશરે 190 કિલોમીટર દૂર છે.
