Operation Sindoor : નેશનલ ડિફેન્સ એકેડમીમાં શનિવારે 150માં કોર્સની પાસિંગ આઉટ પરેડ ભવ્ય રીતે યોજાઈ હતી. પરેડનું નિરીક્ષણ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કર્યું હતું. આ દરમિયાન સેના પ્રમુખે કહ્યું કે જો જરૂર પડશે તો સશસ્ત્ર દળો ઓપરેશન સિંદૂર 2.0 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઓપરેશન સિંદૂરનો સવાલ છે, તે હજી પણ ચાલુ છે. હાલમાં અસ્થાયી સંઘર્ષવિરામ છે. ભારતીય સેના અને સેનાની ત્રણેય પાંખો ઓપરેશન સિંદૂર 2.0 ની તૈયારી કરી રહી છે, જો તેને અંજામ આપવા માટે કોઈ પરિસ્થિતિ ઊભી થશે તો. યુદ્ધના બદલાતા સ્વરૂપ પર પ્રકાશ પાડતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભવિષ્યમાં સંઘર્ષ પરંપરાગત જમીન, હવા અને દરિયાઈ ક્ષેત્રથી આગળ વધીને અંતરિક્ષ, સાયબર અને કોગ્નિટિવ યુદ્ધના ક્ષેત્રમાં ફેલાય છે.
યુદ્ધનું મેદાન પારદર્શી બની ગયું છે: સેના પ્રમુખ
આર્મી ચીફે એ વાતનો ઉલ્લેખ કર્યો કે આધુનિક યુદ્ધક્ષેત્રો હવે ખૂબ જ પારદર્શક બની ગયા છે. તેનાથી સેનાની સુરક્ષા અને તૈનાતી સંબંધિત નિર્ણયો પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બન્યા છે.
સેના પ્રમુખે કહ્યું કે આપણે સમય સાથે જોયું તે એ છે કે પરિસ્થિતિ 24/7 બની રહે છે. યુદ્ધનું મેદાન એટલું પારદર્શક બની ગયું છે કે દરેક હિલચાલ બીજી બાજુના લોકોને ખબર છે. તેથી આપણે આપણી તૈનાતી, આપણો ઉપયોગ અને આપણી સેનાની સાથે-સાથે સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકોની સુરક્ષા બાબતે ખૂબ સાવચેત રહેવું પડશે.
જીત હંમેશા મનમાં હોય છે, જમીન પર નહીં
સેના પ્રમુખે કહ્યું કે વિજય હંમેશા મનમાં હોય છે, જમીન પર નહીં. તેથી ઇન્ફોર્મેશન યુદ્ધ ત્યારે જ સફળ થાય છે જ્યારે આખો દેશ એકજુટ થઇને તે લોકો પર વિશ્વાસ કરે જે જાણકારી આપી રહ્યા છે. જો આવું થાય છે, તો હું તમને ખાતરી આપી શકું છું કે જે રાષ્ટ્ર એકબીજા પર અને આ બધા હિતધારકો પર વિશ્વાસ કરે છે. તે હંમેશા યુદ્ધમાં વિજયી બનશે.
રાજસ્થાનના ઘણા જિલ્લામાં કાળી-પીળી આંધીનો કહેર, રેતીના બવંડરનો ડરાવે તેવો વીડિયો વાયરલ, જુઓ Video
ઓપરેશન સિંદૂરમાંથી શીખેલા બોધપાઠનો ઉલ્લેખ કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે આ ઓપરેશને ભારતની અસરકારક સૈન્ય કાર્યવાહી કરવાની ક્ષમતા દર્શાવી છે. સેના પ્રમુખે કહ્યું કે આ ઓપરેશનમાં સંકલિત આયોજન, રિયલ ટાઇમ ઇન્ટેલિજન્સ, ચોક્કસ લક્ષ્યાંક, મજબૂત હવાઈ સંરક્ષણ, સુરક્ષિત સંદેશાવ્યવહાર અને તમામ ક્ષેત્રોમાં તાલમેલના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
