જીવનશૈલી | સ્વસ્થ જીવનશૈલી બનાવવા માટે નાસ્તો (Breakfast) ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે સવારે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા ઉર્જા સ્તર અને આખા દિવસના મૂડને અસર કરે છે.
અગ્રણી ન્યુટ્રિશનિસ્ટ અપૂર્વ અગ્રવાલે સવારની એક સરળ આદત જાહેર કરી છે જેણે તેમના જીવનમાં મોટા ફેરફારો લાવ્યા છે. અપૂર્વાએ સ્વીકાર્યું છે કે ખાલી પેટ પલાળેલા બદામ અને ડ્રાયફ્રટસ ખાવાથી વજન ઘટાડી શકાય અને તેથી સ્કિનનું સ્વાસ્થ્ય સુધારી શકાય છે.
વીડિયોમાં અપૂર્વ અગ્રવાલ કહે છે કે “મારા સવારના દિનચર્યામાં આ એક ફેરફારથી મને વજન ઘટાડવામાં અને હું જેનું સ્વપ્ન જોતી હતો તેવી ત્વચા થઇ રહી છે. મારા કોર્ટિસોલનું સ્તર હવે સંપૂર્ણપણે સંતુલિત છે.
આ ઉપરાંત તે કહે છે, ”મારા બ્લડ સુગરનું સ્તર ક્યારેય આટલું સારું નહોતું. મારા હોર્મોન્સ તેમની શ્રેષ્ઠ રીતે કાર્ય કરી રહ્યા છે. મારા આંતરડાનું સ્વાસ્થ્ય દરરોજ મને આભાર માની રહ્યું છે. મેં પલાળેલા ડ્રાયફ્રટ્સ ખાવાનું શરૂ કર્યું છે.”
અપૂર્વ અગ્રવાલ દરરોજ સવારે શું ખાય છે?
અંજીર (પલાળેલા)
બ્લેક કિસમિસ
બદામ (પલાળેલા)
અખરોટ (સમારેલા)
ન્યૂસ્ટ્રીશનિષ્ટ અપૂર્વ અગ્રવાલના નાસ્તામાં 3 અંજીરનો સમાવેશ થાય છે, જે પાચનમાં મદદ કરે છે. “મને ઘણા સમયથી કબજિયાત થઈ નથી અને મને તે ખરેખર ગમે છે. કાળા કિશમિશ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. તેથી, ખીલની સમસ્યા ધરાવતા કોઈપણ વ્યક્તિ માટે તે એક ઉત્તમ સાથી છે.
અપૂર્વ કહે છે કે, ”આપણે બધા પલાળેલા બદામ અને અખરોટના ફાયદા જાણીએ છીએ. તે એન્ટીઑકિસડન્ટનો ભંડાર છે. જો તમે તેને ખાવાનું શરૂ કરશો, તો તમે આખો દિવસ સ્વસ્થ અને મજબૂત અનુભવશો. તમારા ઉર્જા સ્તરમાં સુધારો થશે. તે સારા ચરબી અને પ્રોટીનનો સ્ત્રોત છે, તેથી તમને મીઠાઈઓની લાલસા નહીં થાય. તે સ્વાદિષ્ટ હોય છે અને તમને ભરપૂર કરે છે.”
સવારે પલાળેલા ડ્રાયફ્રટ્સ ખાવાના ફાયદા શું છે?
થાણેની KIMS હોસ્પિટલના ચીફ ડાયેટિશિયન ડૉ. અમરીન શેખે જણાવ્યું હતું કે પલાળેલા અંજીર અને કિસમિસમાં વધુ માત્રામાં ફાઇબર હોય છે, જે આંતરડાની ગતિને ઉત્તેજીત કરવામાં અને પાચનતંત્રને સક્રિય રાખવામાં મદદ કરે છે.
પાચન સુધારે : પલાળેલા અંજીર અને કિસમિસમાં રહેલા ફાઇબરનું ઉચ્ચ સ્તર આંતરડાની ગતિવિધિઓને સરળ બનાવવામાં અને પેટનું ફૂલવું અટકાવવામાં મદદ કરે છે.
એનર્જી લેવલ જાળવી રાખે : બદામ અને અખરોટમાં રહેલા સ્વસ્થ ચરબી બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો અટકાવે છે અને દિવસભર સ્થિર ઉર્જા પ્રદાન કરે છે.
વજન કંટ્રોલ કરે : ફાઇબર અને સ્વસ્થ ચરબીનું આ મિશ્રણ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જે અકાળ ભૂખ અને મીઠાઈઓની ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે.
મેન્ટલ હેલ્થ : જેમ જેમ ઉર્જાનું સ્તર સંતુલિત થાય છે, તેમ તેમ તણાવ હોર્મોન્સની પ્રવૃત્તિ ઓછી થાય છે અને શરીર વધુ શાંત અને તાજગીભર્યું બને છે.
લીલા મરચાને ફ્રીઝ વગર મહિના સુધી ફ્રેશ રાખવાની સરળ ટિપ્સ
સ્કિન ગ્લો : બદામમાં રહેલ વિટામિન ઇ અને એન્ટીઑકિસડન્ટ ત્વચાને તાજગી આપે છે અને ચમક આપે છે.
પોષક તત્વોનું શોષણ : ડૉ. શેખ કહે છે કે આંતરડાના સ્વાસ્થ્યમાં સુધારો કરીને, શરીર આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં રહેલા પોષક તત્વોને વધુ અસરકારક રીતે શોષી લે છે.

