માટલાનું પાણી કે ફ્રીજનું પાણી, કયું છે વધારે હેલ્ધી, જાણો એક્સપર્ટની સલાહ

માટલાનું પાણી કે ફ્રીજનું પાણી, કયું છે વધારે હેલ્ધી, જાણો એક્સપર્ટની સલાહ

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Clay Pot Vs Fridge Water :  ઉનાળાની ઋતુમાં દરેકને ઠંડુ પાણી પીવું ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે રેફ્રિજરેટરના બરફ જેવા ઠંડા પાણી કરતાં માટલાનું પાણી તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે? આ જૂના સમયની સરળ આદત આજે પણ ઘણી રીતે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે.

વૈજ્ઞાનિક સંશોધન (ScienceDirect) અને આરોગ્ય નિષ્ણાતો અનુસાર માટીના વાસણમાં પાણી ઠંડુ કરવાની પ્રક્રિયા “ઇવૈપોરેટિવ કૂલિંગ” પર આધારિત હોય છે. ભારતીય ડાયેટિશયન અને આયુર્વેદ નિષ્ણાતો માને છે કે માટીનું પાણી પાચન ને સારું બનાવવા અને શરીરની એસિડિટીને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે.

માટલાનું પાણી શા માટે ખાસ છે?

માટીના માટલાની ખાસિયત તેના કુદરતી રચનામાં રહેલી છે. માટીના વાસણમાં નાના-નાના છિદ્રો (પોર્સ) હોય છે. જેના દ્વારા પાણી ધીમે ધીમે બહારની તરફ બાષ્પીભવન થાય છે. આ પ્રક્રિયાને ઇવૈપોરેટિવ કુલિંગ કહેવામાં આવે છે, જે કુદરતી રીતે પાણીને ઠંડુ કરે છે.

આ ઠંડક ઘણી હળવી અને સંતુલિત હોય છે, જે શરીરને અચાનક ઠંડુ કરતી નથી પરંતુ ધીમે ધીમે ઠંડક પહોંચાડે છે. આ જ કારણ છે કે માટલાનું પાણી પેટ માટે વધારે સુરક્ષિત માનવામાં આવે છે.

પાચન અને એસિડિટીમાં મદદગાર

માટલાનું પાણી પીવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે. આ પાણી ન તો ખૂબ ઠંડુ છે કે ન તો ખૂબ ગરમ, તેથી તે પેટ પર વધુ પડતું દબાણ લાવતું નથી. ઘણા લોકોને એસિડિટી અને ગેસની સમસ્યામાં પણ રાહત મળે છે.

શરીરનું pH સંતુલન જાળવવામાં મદદ કરે છે

માટીમાં કુદરતી રીતે ક્ષારયુક્ત (Alkaline) ગુણ હોય છે. જ્યારે પાણી માટલામાં રાખવામાં આવે છે ત્યારે તે આ ગુણોના સંપર્કમાં આવે છે, જે શરીરના એસિડ-બેઝ સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે.

કુદરતી મિનરલ્સના ફાયદા

માટલામાં રાખેલુ પાણી માટીના સંપર્કમાં રહેવાના કારણે તેમાં થોડી માત્રામાં મેગ્નેશિયમ જેવા કુદરતી મિનરલ્સ વગેરે સામેલ થઇ શકે છે. આ મિનરલ્સ શરીર માટે ફાયદાકારક છે અને પાણીને વધુ ફ્રેશ બનાવે  છે.

પ્લાસ્ટિકથી સારો વિકલ્પ

પ્લાસ્ટિકની બોટલોની તુલનામાં માટલું સંપૂર્ણપણે સલામત છે. તેમાં BPA જેવા હાનિકારક કેમિકલ્સ હોતા નથી, જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. વધુમાં માટીનું માટલું પર્યાવરણ માટે પણ વધુ સારો વિકલ્પ છે.

માટલાનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો?

દર 24 કલાકે પાણી બદલો, માટલાને નિયમિતપણે સાફ કરો અને પાણીને ઓછામાં ઓછા 2-3 કલાક માટે માટલામાં રહેવા દો જેથી તે કુદરતી રીતે ઠંડુ થાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *