સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે ભવ્ય રંગોત્સવ મનાવાયો હતો. સ્વામિનારાયણ મંદિરમાં 210 વર્ષની ઐતિહાસિક પરંપરા ચાલુ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી. આ રંગોત્સવમાં યુવાઓ ફિલ્મી ગીતોને બદલે DJ પર હરિ કિર્તનના તાલે ભક્તિભાવ પૂર્વ ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભગવાન સ્વામિનારાયણે 210 વર્ષ પૂર્વે વડતાલમાં 12 બારણાના હિંડોળે ઝૂલીને રંગોત્સવ મનાવ્યો હતો. જેની સ્મૃતિમાં દર વર્ષે અહીં રંગોત્સવ મનાવવામાં આવે છે. આ વખતે રંગોત્સવ દરમિયાન કલર બ્લાસ્ટ, આકાશમાં ઉડતા ફુગ્ગાઓ અને રંગબેરંગી પિચકારીઓથી સમગ્ર વડતાલ મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું. સોશિયલ મીડિયામાં દિવ્ય રંગોત્સવનો નજારો વાયરલ થઈ રહ્યો છે.
Source link
