કોટામાં મોટી દુર્ઘટના: તાસના પત્તાની માફક ધડામ દઈને બિલ્ડિંગ પડી, 5 લાશ બહાર કાઢી, આંકડો વધવાની સંભાવના

કોટામાં મોટી દુર્ઘટના: તાસના પત્તાની માફક ધડામ દઈને બિલ્ડિંગ પડી, 5 લાશ બહાર કાઢી, આંકડો વધવાની સંભાવના

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love


Final Up to date:

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં પાંચ લોકોની લાશ બહાર કાઢી છે. પ્રશાસનનું કહેવું છે કે જે રીતે બિલ્ડિંગ પડી છે, તેને જોતા આશંકા છે કે હજુ વધારે લોકો કાટમાળમાં નીચે ફસાયેલા હોઈ શકે છે.

News18
News18

કોટા: જવાહર નગર વિસ્તારમાં ઓપેરા હોસ્પિટલની નજીકની ઇમારતનો મામલો સતત ગંભીર બનતો જાય છે. રાહત અને બચાવ કાર્ય દરમિયાન કાટમાળમાંથી બે બાળકોના મોતની સૂચના સામે આવી છે. આ ખબર બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ડરનો માહોલ છે. પ્રશાસન તરફથી રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલુ છે અને દરેક સંભવિત બિંદુ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં પાંચ લોકોની લાશ બહાર કાઢી છે. પ્રશાસનનું કહેવું છે કે જે રીતે બિલ્ડિંગ પડી છે, તેને જોતા આશંકા છે કે હજુ વધારે લોકો કાટમાળમાં નીચે ફસાયેલા હોઈ શકે છે. એટલા માટે રાહત અને બચાવ કાર્યને સતત ચાલુ રાખીશું. કાટમાળ હટાવવાનું કામ સાવધાનીપૂર્વક થઈ રહ્યું છે, જેથી કોઈ ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી શકાય.

ઘટના સ્થળે પહોંચ્યા મંત્રી મદન દિલાવર, રાહત કાર્યનું મોનિટરિંગ કર્યું

ઘટનાની ગંભીરતા જોતા શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવર ખુદ ઘટનાસ્થળે પહોંચ્યા. મંત્રીએ ઘટનાસ્થળ પર હાજર પ્રશાસનિક અધિકારીઓ, પોલીસ અને રાહત દળની જાણકારી લીધી. તેની સાથે જ તેમણે કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાના કામનું સતત મોનિટરિંગ શરુ કર્યું. મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાહત કાર્યમાં કોઈ બેદરકારી ન રાખવામાં આવે.

બે બાળકોના મોત, માતમ છવાયો

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન કાટમાળમાંથી બે બાળકોની લાશ મળવાની સૂચના સામે આવી છે. કહેવાય છે કે બિલ્ડિંગ પડવાના સમયે બાળકો પણ અંદર હતા અને કાટમાળમાં દબાઈ ગયા. આ દુખદ ખબર બાદ સ્થાનિક લોકો અને પરિવાર આઘાતમાં છે. ઘટનાસ્થળ પર હાજર કેટલાય લોકોની આંખો ભીની થઈ ગઈ.

એક ડઝન ઘાયલ લોકોને હોસ્પિટલે પહોંચાડ્યા

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તરત એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. અત્યાર સુધીમાં એક ડઝન લોકોને સારવાર માટે દાખલ કર્યા છે. ઘાયલોમાંથી અમુકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ઓપેરા હોસ્પિટલ અને આજુબાજુની અન્ય હોસ્પિટલમાંથી ડોક્ટરની ટીમ એલર્ટ પર છે.

ઘટનાસ્થળે પોલીસ પહોંચી, વિસ્તારને સીલ કરી દીધો

આ ઘટનાની જાણકારી મળતા જ જવાહરનગર પોલીસની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સૌથી પહેલા આજુબાજુના વિસ્તારને સુરક્ષિત કર્યો અને લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની અપીલ કરી છે. સાવધાનીના ભાગરૂપે બિલ્ડિંગની આજુબાજુના રોડ પર અવરજવર મર્યાદિત કરી દીધી, જેથી રાહત અને બચાવ કાર્યમાં અડચણ ન આવે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *