Final Up to date:
સીતારમણે કહ્યું કે બજેટ 2026 વિકસિત ભારત 2047ના ટાર્ગેટને સમર્પિત છે. તેમણે સરકારના ત્રણ મુખ્ય કર્તવ્યો પર ભાર આપ્યો.
નવી દિલ્હી: બજેટ 2026 બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે નેટવર્ક 18ના એડિટર ઈન ચીફ રાહુલ જોશીને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતી પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીતારમણે કહ્યું કે બજેટ 2026 વિકસિત ભારત 2047ના ટાર્ગેટને સમર્પિત છે. તેમણે સરકારના ત્રણ મુખ્ય કર્તવ્યો પર ભાર આપ્યો. પહેલું આર્થિક વિકાસ અને પ્રતિસ્પર્ધાત્મકતાને ગતિ આપવી, બીજું નાગરિકોની ક્ષમતા નિર્માણ અને કૌશલ વિકાસ અને ત્રીજું સબકા સાથ-સબકા વિકાસ દ્વારા સમાવેશી ઉન્નતિ. તેમણે સ્પષ્ટ કર્યું કે, મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ આપવા માટે પૂંજીગત વ્યયને વધારીને 12.2 લાખ કરોડ રુપિયા કરી દીધું છે. સરકારે ખાસ ઈંડિયા સેમીકંડક્ટર મિશન 2.0 અને બાયોફાર્મા શક્તિ જેવી પહેલ દ્વારા ભારતને ગ્લોબલ હબ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સીતારમણે કહ્યું કે આ બજેટ વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે સ્થિરતા આપવાની એક રણનીતિ છે. આ બજેટ ખાલી એક વર્ષનો દસ્તાવેજ નથી, પણ વિકસિત ભારત 2047ના ટાર્ગેટને પ્રાપ્ત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. સીતારમણે સ્પષ્ટ કર્યું કે ભારત સતત ચાર વર્ષથી સૌથી ઝડપથી વધતી મુખ્ય અર્થવ્યવસ્થા બનેલી છે. તેમણે ભાર આપ્યો કે રિફોર્મ્સની એક્સપ્રેસ આખું વર્ષ ચાલતી રહેશે અને સરકારનો ટાર્ગેટ રેડ ટેપને ખતમ કરી ઉદ્યોગો માટે રેડ કાર્પેટ પાથરવાનો છે.
નાણા મંત્રી સાથે સવાલ અને જવાબ
જવાબ- નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે બજેટમાં સ્થિરતાનું વલણ જાણી જોઈને અપનાવ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો એકદમ મજબૂત છે, પણ આપણે એવી વૈશ્વિક અનિશ્ચિતતાઓનો સામનો કરી રહ્યા છીએ, જે પહેલા ક્યારેય નથી જોઈ. ટેરિફ યુદ્ધ અને સંઘર્ષોની વચ્ચે રોકાણકારોને સ્થિરતાનો મેસેજ આપવો જરુરી છે.
જવાબ-સીતારમણે કહ્યું કે, આ 21મી સદીના બીજા ક્વાર્ટરનું પ્રથમ બજેટ છે. જે વિકસિત ભારત 2047ના પાયો નાખે છે. તેમણે ભાર આપ્યો કે રિફોર્મ્સ ખાલી બજેટ સુધી મર્યાદિત નથી, પણ રિફોર્મ્સ એક્સપ્રેસ આખું વર્ષ ચાલતી રહેશે. બજેટના ભાગ બીમાં ભવિષ્યની નીતિઓ અને પ્રશાસનિક બદલાવનો વિસ્તૃત ડ્રાફ્ટ આપ્યો છે.
જવાબ- નાણા મંત્રીએ ત્રણ કોર કર્તવ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલું આર્થિક વિકાસની ગતિને તેજ કરવું, બીજું- નાગરિકોની ક્ષમતાનું નિર્માણ અને કૌશલ વિકાસ કરવો અને ત્રીજું- સબકા સાથ, સબકા વિકાસ.
જવાબ- સરકારે સાર્વજનિક પૂંજીગત વ્યયને વધારી 12.2 લાખ કરોડ રુપિયા કરી દીધું છે. તેમાં 7 હાઈ સ્પીડ રેલ કોરિડોર અને ઈંડિયા સેમીકંડક્ટર મિશન 2.0 પર મોટો દાવ લગાવ્યો છે. સાથે જ બાયોફાર્મા અને ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રમાં ભારતને ગ્લોબલ હબ બનાવવા માટે ખાસ ફંડ ફાળવણી કરવામાં આવી છે.
Feb 02, 2026 11:33 PM IST

