શિયાળામાં ઠંડા વાતાવરણની અસર આંખો પર થઇ રહી છે. આંખો શુષ્ક થવાની સમસ્યાથી એલર્જીના કેસ વધી રહ્યા છે. વાતાવરણમાં ઠંડી અને પવનના કારણે તેમજ વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે સમસ્યા વધી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને આંખોની ખાનગી હોસ્પિટલોમાં આંખના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આંખો ડ્રાય થવી, સોજો આવવો, ખંજવાળ આવવી, આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદો વધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આંખમાં એલર્જી રોજના 3થી 5 દર્દીઓ જોવા મળી રહ્યા છે. તબીબોએ અપીલ કરી છે કે, આંખોમાં તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જાતે દવા લઇ ટીપાં નાખવામાં આવે તો તકલીફ વધી શકે છે.
Source link
