અમદાવાદમાં કેમ વધી રહી છે આંખની બીમારી?

અમદાવાદમાં કેમ વધી રહી છે આંખની બીમારી?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



શિયાળામાં ઠંડા વાતાવરણની અસર આંખો પર થઇ રહી છે. આંખો શુષ્ક થવાની સમસ્યાથી એલર્જીના કેસ વધી રહ્યા છે. વાતાવરણમાં ઠંડી અને પવનના કારણે તેમજ વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે સમસ્યા વધી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને આંખોની ખાનગી હોસ્પિટલોમાં આંખના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આંખો ડ્રાય થવી, સોજો આવવો, ખંજવાળ આવવી, આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદો વધી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં આંખમાં એલર્જી રોજના 3થી 5 દર્દીઓ જોવા મળી રહ્યા છે. તબીબોએ અપીલ કરી છે કે, આંખોમાં તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જાતે દવા લઇ ટીપાં નાખવામાં આવે તો તકલીફ વધી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *