Shahid Diwas: 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે કેમ ઉજવાય છે? ગાંધીજીના 10 જીવન પ્રેરક સુવાક્યો

Shahid Diwas: 30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે કેમ ઉજવાય છે? ગાંધીજીના 10 જીવન પ્રેરક સુવાક્યો

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Shahid Diwas 2026, 30 January Historic Occasions : ગાંધી નિર્વાણ દિવસ ને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલીદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે. ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું 30 જાન્યુઆરી, 1948ના રોજ દિલ્હીમાં નિધન થયું હતું. આ તારીખે મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચાલો જાણીયે તે દિવસે શું થયું હતું.

30 જાન્યુઆરી શહીદ દિવસ તરીકે કેમ ઉજવાય છે?

શહીદ દિવસ તરીકે તારીખ 30 જાન્યુઆરી બહુ ખાસ છે. વર્ષ 1948માં 30 જાન્યુઆરીના રોજ નાથુરામ ગોડસે એ મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી હતી. ત્યારબાદથી દર વર્ષે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે મહાત્મા ગાંધીની યાદીમાં શ્રદ્ધાંજલી સભા યોજાય છે.

23 માર્ચ કોનો શહીદ દિવસ છે?

ભારતની આઝાદીમાં ઘણા લોકોએ પોતાના જીવનનો બલિદાન આપ્યું છે. તેમની યાદીમાં શહીદ ઉજવાય છે. 23 માર્ચ પણ શહીદ દિવસ તરીકે ઉજવાય છે. આ તારીખે ભારતના મહાન ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને વર્ષ 1931માં ફાંસી આપવામાં આવી હતી.

મહાત્મા ગાંધીના 10 અનમોલ વચન

1. અહિંસા એ સૌથી મોટું બળ છે.

2. પહેલા તેઓ તમારા પર ધ્યાન નહીં આપે, પછી તેઓ તમારા પર હાસ્ય કરશે, તેમ છતાં તમારી સાથે લડશે અને ત્યારે તમારી જીત થશે.

3. બુદ્ધિશાળી કામ કરવાની પહેલા વિચારે છે અને મૂર્ખ કામ કર્યા પછી.

4. માનવીય જીવનનો સાચો સાહસ એ છે કે તમે દુષ્ટતાનો વિરોધ કરો, પણ નફરત સાથે નહીં, પ્રેમ સાથે.

5. વિશ્વાસને હંમેશા તર્ક થી માપવું જોઇએ. જ્યારે વિશ્વાસ આંધળો થાય છે તો મરી જાય છે.

6. ડર શરીરની બીમારી નથી, આત્મા ને મારી નાંખે છે.

7. ભૂલ કરવી પાપ છે, પરંતુ તેને છુપાવવી તેનાથી પણ મોટું પાપ છે.

8. સ્વદેશી એ માત્ર વસ્તુઓનો પ્રશ્ન નથી, પરંતુ આત્મનિર્ભરતાનો પ્રશ્ન છે.

9. ક્ષમા આપવી તાકતવર વ્યક્તિની ઓળખ છે.

10. અહીં વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી કે જે પ્રેમથી ન જીતી શકાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *