Final Up to date:
Diya Rituals: સાંજનો સમય ઘરમાં શાંતિ અને પોઝિટિવ એનર્જી લાવવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ સમયે ઘરે દીવો પ્રગટાવવાની પરંપરાને મહત્ત્વ આપવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે, યોગ્ય સમય, યોગ્ય જગ્યા અને યોગ્ય રીતે પ્રગટાવેલા દીવા ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે, પરંતુ તેને ધ્યાન આપ્યા વગર ખોટી રીતે પ્રગટાવવામાં આવે, તો તેની નકારાત્મક અસર પણ થઈ શકે છે. ઘણા લોકો વિચારે છે કે, દીવો પ્રગટાવવો માત્ર એક રિવાજ છે, પરંતુ વાસ્તુના હિસાબે તેનો યોગ્ય ઉપયોગ માનસિક તણાવ અને આર્થિક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. આ અંગે વધુ જાણકારી આપી રહ્યાં છે ભોપાલ નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા, જે જણાવશે કે, સાંજે દીવો પ્રગટાવવાનો યોગ્ય સમય કયો છે. કઈ જગ્યાએ પ્રગટાવવો જોઈએ, કયા તેલ અને ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
