જામનગરમાં એક યુવાનને પ્રેમ લગ્ન કરવાની સજા મોત મળી. થોડા મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવાનની તેના જ સાળાએ ધોળા દિવસે છરીના ઘા મારી હત્યા નીપજાવી. નીલય કુંડલિયા નામના જૈન યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જામનગરના પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા નિલય કુંડલીયા નામના યુવાને 8 મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી પ્રેમિકાના પરિવારને પસંદ નહીં પડતાં પ્રેમિકાના ભાઈ સહિતના 3 શખ્સો છરી લઈને ધસી આવ્યા હતા. બનેવી પર છરીના ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
Source link
