ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી મેચ ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા કિવી ટીમની શરૂઆત ખરાબ રહી. બંને ઓપનર ફક્ત પાંચ રન બનાવીને આઉટ થયા. કિવી ઓપનર ડેવોન કોનવે ત્રણેય મેચમાં ફ્લોપ રહ્યો છે.
ત્રણેય મેચમાં હર્ષિત રાણાએ કોનવેને આઉટ કર્યો
આ શ્રેણીમાં કોનવે ત્રણ મેચમાં રમ્યો હતો અને હર્ષિત રાણાએ ત્રણેય વખત તેની વિકેટ લીધી હતી. એવું લાગે છે કે હર્ષિત કોનવે માટે માથાનો દુખાવો બની રહ્યો છે. કોનવેએ અત્યાર સુધી ત્રણ ઇનિંગ્સમાં હર્ષિતના 23 બોલનો સામનો કર્યો છે, જેમાં તેણે 18 રન બનાવ્યા છે. તેની સામે કોનવેની સરેરાશ માત્ર 6 છે. શ્રેણીની અંતિમ મેચમાં પણ હર્ષિતે તેને સ્લિપમાં વિકેટ પાછળ સરળતાથી કેચ આઉટ કરાવ્યો હતો.
First-ball wicket for Harshit Rana! 🔥
Two early wickets, and #TeamIndia are off to a fiery begin in Indore 😍#INDvNZ | third ODI | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhUpic.twitter.com/ggtyZEdHR9
— Star Sports activities (@StarSportsIndia) January 18, 2026
કોનવે અંતિમ મેચમાં નિષ્ફળ ગયો
ડેવોન કોનવેએ આ શ્રેણીમાં ત્રણ મેચ રમી ત્રણ ઇનિંગ્સમાં 25.66 ની સરેરાશથી 77 રન બનાવ્યા. તેણે પહેલી મેચમાં અડધી સદી ફટકારી, પરંતુ બાકીની બે ઇનિંગ્સમાં તે નિષ્ફળ ગયો. પહેલી મેચમાં કોનવેએ 67 બોલમાં 56 રન બનાવ્યા. બીજી મેચમાં તેણે 21 બોલમાં 16 રન બનાવ્યા. અંતિમ મેચમાં તે 5 રન બનાવીને આઉટ થયો. પરિણામે આ શ્રેણી કોનવે માટે ખાસ યાદગાર રહી નહીં.
આગામી છ મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં જોવા મળે રોહિત અને વિરાટ, આ શ્રેણીથી કરશે વાપસી!
ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર
ત્રીજી વનડે મેચની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો. આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાનું સ્થાન અર્શદીપ સિંહે લીધું. કેપ્ટનનો નિર્ણય અત્યાર સુધી સાચો સાબિત થયો છે. અર્શદીપ સિંહે ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં હેનરી નિકોલ્સને આઉટ કરીને ટીમ ઇન્ડિયાને પ્રથમ સફળતા અપાવી. હવે એ જોવું રસપ્રદ રહેશે કે કિવી ટીમ અહીંથી કેટલો મોટો સ્કોર બનાવી શકે છે.
