મહોત્સવના ભાગરૂપે ઓડિસી, ભરતનાટ્યમ, કથ્થક, મણિપુરી, કુચિપુડી, કથકલી અને સતરીયા જેવા વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રકારોની રજૂઆત કરવામાં આવશે. આજના પ્રથમ દિવસે, એટલે કે તા. 17 જાન્યુઆરી 2026ના રોજ, કલાકાર રમીન્દર ખુરાના દ્વારા ઓડિસી નૃત્ય, મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા દ્વારા કથ્થક, પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણિપુરી તેમજ બીના મહેતા દ્વારા કુચિપુડી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે.

