ભારતીય પુરાતત્ત્વ વિભાગની ઉચ્ચસ્તરીય ટીમ દિલ્હીથી દ્વારકા પહોંચી. અધિક મહાનિર્દેશક આલોક ત્રિપાઠીની ટીમ દ્વારા દ્વારકા અને તેની આસપાસમાં સર્વે કરવામાં આવ્યો. ભારતીય પુરાતત્ત્વ વિભાગની ટીમ દ્વારા સૌ પ્રથમ સ્થળ પર પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખોદકામ શરૂ કરવામાં આવેલ. મહત્વનું છે કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી ‘જૂની દ્વારકા’ના દટાયેલા અને મહત્ત્વપૂર્ણ અવશેષોની શોધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ થોડા સમય અગાઉ દ્વારકાના દરિયાના પેટાળમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હવે દ્વારકામાં રહેલ મંદિર અને તેની આસપાસ સર્વે કાર્ય હાથ ધરાયું છે.
Source link
