દ્વારકા: દિવાળીના પ્રકાશોત્સવને લઈને દ્વારકાધીશ જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, દર વર્ષની જેમ આ વખતે પણ મંદિરને દીવાઓ અને લાઇટોથી ભવ્ય શણગારવામાં આવ્યું છે, અને અહીં દિપોત્સવ તથા નૂતન વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહત્વનું છે કે દિવાળીનું મિની વેકેશન હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ દર્શને ઉમટી છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Source link
