જીવનશૈલી | બોલીવુડની સૌથી પ્રિય સ્ટાર્સમાંની એક, આલિયા ભટ્ટ માત્ર (Alia Bhatt) તેના અભિનય માટે જ નહીં પરંતુ તેની સ્વસ્થ જીવનશૈલી માટે પણ ચાહકોની પ્રિય છે. અહીં જાણો આલિયાની ખાવાની આદતો વિશે. જે તેને 33 વર્ષની ઉંમરે પણ ગ્લોઈંગ સ્કિન અને એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.
આલિયા ભટ્ટ ડાયટ સિક્રેટ ટિપ્સ
આલિયાએ અગાઉ આપ કી અદાલત સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે “મને દેશી ભોજન ગમે છે. મને આ સલાડ ખાવાનું બિલકુલ ગમતું નથી, તેના બદલે, મને ભાત, દાળ અને કઢી વધુ ભાવે છે. જો મારી રોટલી ખાવાની હોય તો હું રાગી અથવા જુવારની રોટલી ખાઉં છું. મારી ખાવાની આદતો બદલાઈ રહી છે. આ ઉપરાંત, હું ખાંડનો બિલકુલ ઉપયોગ કરતી નથી.”
2018 માં વોગ ઈન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી આલિયા ભટ્ટની તત્કાલીન ન્યુટ્રિશનિસ્ટ એન્જી કસાબીએ સ્ટારની હેલ્ધી ખાવાની આદતો વિશે ખુલાસો કર્યો હતો. ન્યુટ્રીસ્ટનીસ્ટએ જણાવ્યું કે “સ્વસ્થ ખાવાની વાત આવે ત્યારે આલિયા ખૂબ જ સભાન વ્યક્તિ છે, તે મોટે ભાગે શાકાહારી ખોરાક લે છે. તે સ્વસ્થ આહાર દ્વારા પોતાની ફિટનેસ જાળવી રાખવા માંગતી હતી જે તેના શરીરને જરૂરી બધા પોષક તત્વો પૂરા પાડે છે.”
તેણે સ્પષ્ટતા કરી હતી કે “આલિયાના આહારની શરૂઆત સ્વચ્છ, ગુણવત્તાયુક્ત ખોરાકથી થતી હતી, મુખ્યત્વે સીફૂડ અને શાકભાજી, જેમાં ભાત અને પ્રોટીન પાસ્તામાંથી થોડી માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સનો સમાવેશ થતો હતો. અલબત્ત, તેણીએ સવારે પ્રોટીનની સાથે તેના આહારમાં પૂરતા પ્રમાણમાં ફાઇબરનો પણ સમાવેશ કર્યો હતો.”
ન્યુટ્રિશનિસ્ટએ કહ્યું કે “એ નોંધનીય છે કે આલિયા ભટ્ટ પોતાને ભૂખ્યા રાખતી નથી. તે મધ્યમ માત્રામાં મીઠાઈઓ પણ ખાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, કોલેસ્ટ્રોલ ઓછું હોય છે અને કેલરી ખૂબ ઓછી હોય છે. દરેક સ્લાઇસમાં ફક્ત 160 થી 260 કેલરી હોય છે. તે એવા જ્યુસ પીવે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.”
આલિયા ભટ્ટે ડિલિવરી પછીનું વજન કેવી રીતે ઘટાડ્યું?
આલિયા ભટ્ટે પોતાના પ્રસૂતિ પછીના વજન ઘટાડા વિશે ખુલીને વાત કરી છે. આલિયા અને રણબીરે નવેમ્બર 2022 માં તેની પુત્રી રાહાનું સ્વાગત કર્યું હતું. અભિનેત્રીએ ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ શોમાં હાજરી આપતી વખતે આ વાત શેર કરી હતી.
સ્ટારે કહ્યું કે “રાહાના જન્મ પછી મારું વજન ઘણું વધી ગયું હતું. હું બાળકને સ્તનપાન કરાવતી હતી, જે ઘણી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. હું સ્વસ્થ આહારનું પણ પાલન કરી રહી હતી. તેથી જ હું ખૂબ જ ઝડપથી વજન ઘટાડી શકી હતી.
હૃદયના સ્વાસ્થ્ય માટે મોરિંગા દવા કરતા પણ ગુણકારી? એક્સપર્ટે આપ્યો જવાબ
આલિયાએ બાળકને જન્મ આપ્યા પછી અચાનક વજન ઘટાડા માટે જે મજાકનો સામનો કરવો પડ્યો તે યાદ કર્યો. “જ્યારે મારો એક ફોટો બહાર આવ્યો, ત્યારે મેં લોકોને મારી મજાક ઉડાવતા જોયા. કેટલાક લોકોએ કમેન્ટ કરી કે આ કોઈ કુદરતી પ્રક્રિયા નથી. લોકોએ કહ્યું, ‘તું આટલી ઝડપથી વજન કેમ ઘટાડી રહી છે? આલિયા, તારો સમય લે, કોઈ વાંધો નથી.’ જ્યારે મેં આ જોયું, ત્યારે મને લાગ્યું, ‘ઓહ ના, તે કુદરતી રીતે થયું છે.'” આલિયા ભટ્ટે રાહાને જન્મ આપ્યા પછી ત્રણ મહિનામાં 16 કિલો વજન ઘટાડ્યું હતું.
