રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? પૂર્વ કેપ્ટન સહિત BCCI ને હાર્દિક પંડયાની ફિટનેશ વિશે ચિંતા

રોહિત શર્મા 2027 વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે? પૂર્વ કેપ્ટન સહિત BCCI ને હાર્દિક પંડયાની ફિટનેશ વિશે ચિંતા

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Crew India For World Cup 2027 : અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને વન ડે શ્રેણી માટેની ભારતીય ટીમની પસંદગી મિટિંગમાં પસંદગીકારો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની ફિટનેસને લઈને ચિંતિત હતા. બંને ખેલાડીઓની વન ડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે, પણ તે પણ જાણ કરવામાં આવી હતી કે, તેઓ ફિટ હશે ત્યારે જ રમશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડને શંકા છે કે, રોહિત શર્મા ઓક્ટોબર-નવેમ્બર, 2027માં યોજાનારા વન ડે વર્લ્ડ કપ સુધી ફિટ રહી શકશે. રોહિત હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ત્રણ સપ્તાહ સુધી આઇપીએલમાં રમી શક્યો ન હોવાથી પસંદગીકારોએ તેનો ફિટનેસ રિપોર્ટ માંગ્યો હતો. હાર્દિક પંડયાની ચિંતા એ છે કે તે 10 ઓવર ફેંકી શકશે કે નહીં.

વન ડે ક્રિકેટમાં IPL જેવા ઇમ્પેક્ટ પ્લેયરનો કોઈ વિકલ્પ નથી

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રોહિતે આ ત્રણ અઠવાડિયામાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ (સીઓઈ)માં રિપોર્ટ કર્યો ન હતો. તે પાતળો થઈ ગયો છે, પરંતુ તેનું શરીર વજન સહન કરી શકશે કે કેમ તેની ચિંતા છે. તેણે 50 ઓવર ફિલ્ડિંગ કરવાની છે. વન ડે ક્રિકેટમાં આઇપીએલ જેવા પ્રભાવશાળી ખેલાડીનો કોઈ વિકલ્પ નથી. જ્યારે તમે 40 ની નજીક હોવ છો, ત્યારે શરીરને સ્વસ્થ થવામાં સમય લાગે છે. ’

બેકઅપ ઓપનર તૈયાર કરવા પર નજર

પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ રોહિતથી નારાજ છે કારણ કે તેમને યશસ્વી જયસ્વાલ ઉપરાંત બેકઅપ ઓપનર તૈયાર કરવાની જરુર છે. સુત્રોએ કહ્યું કે, વર્લ્ડ કપ પહેલા વધારે વન ડે મેચ નથી. આમ પણ, જયસ્વાલને રમવા માટે વધુ સમય મળ્યો નથી. ઈશાનની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે જેથી તે ઓપનરનો રોલ પણ કરી શકે. પણ જો રોહિત વર્લ્ડકપમાં રમી શકશે નહીં અને શુભમન ગીલ કે જયસ્વાલમાંથી કોઈ એક ઈજાગ્રસ્ત થાય તો અન્ય એક ઓપનરે તૈયાર રાખવો પડશે. ’

હાર્દિક પંડ્યા વિશે પણ ચિંતા

હાર્દિક પંડ્યા અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, સિલેક્શન મિટિંગના 48 કલાક પહેલા સુધી હાર્દિકને તેની ફિટનેસની ચિંતા વિશે જણાવવામાં આવ્યું ન હતું. તે 2 મે પછી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો નથી. ચેન્નાઈમાં રમાયેલી મેચ બાદ તેણે પીઠમાં ખેંચાણની ફરિયાદ કરી હતી, પણ ત્યાર બાદ તે રમ્યો નથી. તે રિલાયન્સની સુવિધા અને વાનખેડે સ્ટેડિયમમાં તાલીમ લઈ રહ્યો હતો. જો કે તે ટીમમાં પાછો ફર્યો છે, પણ તેણે ફિટનેસ કેવી રીતે સાબિત કરવી તે નક્કી નથી. પસંદગીકારોને માત્ર ચિંતા છે કે તે 10 ઓવર ફેંકી શકશે કે નહીં. ’

 આ પણ વાંચો | IND vs AFG મેચ માટે ગુરનૂર, માનવ, પ્રિન્સ યાદવ અને દૂબેની પસંદગી કેમ કરવામાં આવી? વાંચો

નીતીશ-હર્ષિત પેસ બોલિંગ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા

હાર્દિકની વાત કરીએ તો જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વન ડેની શ્રેણી અગાઉ સીઓઈ એ તેને 10 ઓવર ફેંકવા દીધી નહતી અને તેથી તેને વન ડે માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, કારણ કે પસંદગીકારો તેને ટી-20 વર્લ્ડ કપ માટે બચાવવા માગતા હતા. જો કે પાંચ દિવસ બાદ વિજય હઝારે ટ્રોફીની મેચમાં તેણે બરોડા માટે 10 ઓવરનો સ્પેલ ફેંક્યો હતો. પસંદગીકારોને આશા છે કે, નીતીશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા મીડિયમ પેસ બોલિંગ ઓલરાઉન્ડર્સની ભૂમિકા ભજવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *