ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ બાદ હવે રબારી સમાજ પણ કુરિવાજો પર કાબુ મેળવવા માટે મેદાને ઉતર્યો છે. વાવ થરાદના દિયોદર ખાતે 3 જિલ્લા બનાસકાંઠા, વાવ થરાદ અને પાટણના રબારી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ. કુરિવાજોને દૂર કરવા અને સામાજિક સુધારણા માટે નવા બંધારણની રચના માટે યોજાયેલી આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ તથા ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ઉપસ્થિત રહ્યા. આગામી 25 જાન્યુઆરીએ ડીસા ખાતે યોજાનાર ભવ્ય મહાસંમેલનને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ. મહાસંમેલનમાં વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજનું નવું બંધારણ ઘડાશે.
Source link
