મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ હેઠળ મેળા વહીવટીતંત્રે બસંત પંચમીના સ્નાનની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. શનિવારે આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે વહીવટી તંત્રે વિવિધ માર્ગ પર જવા માટે શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે હેતુથી જાણકારી શેર કરી છે.
અરૈલ થી ઝૂંસી જવા માટે પુલ નંબર 28 ખૂલો છે. સંગમથી ઝૂસી જવા માટે પુલ નંબર 2,4, 8, 11, 13, 15, 17, 20, 22, 23 અને 25 ખુલ્લા છે.
સંપૂર્ણ રીતે સજ્જ મેળા પ્રશાસને વહીવટીતંત્રે ભક્તોની અવરજવર માટે માહિતી શેર કરી છે.
ઝુંસીથી સંગમ જવા માટે શ્રદ્ધાળુઓ પુલ નં. 16, 18, 21 અને 24 નો ઉપયોગ કરી શકશે. જ્યારે બ્રિજ નંબર 27 અને 29 ઝુંસીથી અરેલ જવા માટે ખુલ્લો છે. આ માર્ગોનો ઉપયોગ કરીને ભક્તો સરળતાથી આવનજાવન કરી શકશે.





