ભારતીય નાવિકો પર હુમલાની ઘટના, ભારતે યુક્રેનના રાજદૂતને સમન્સ પાઠવ્યા

ભારતીય નાવિકો પર હુમલાની ઘટના, ભારતે યુક્રેનના રાજદૂતને સમન્સ પાઠવ્યા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


India Summons Ukraine Ambassador : ભારતે સોમવારે યુક્રેનના રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા અને 18 જુલાઈના રોજ એક જહાજને નિશાન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં એક ભારતીય નાવિકનું મોત થયું હતું. બ્લેક સમુદ્ર ક્ષેત્રમાં વેપારી જહાજ લઈ જતા ચાર ભારતીયો પર મોટો હુમલો થયો હોવાથી ખલાસીઓની સલામતી અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. આ કારણે ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું છે અને સોમવારે યુક્રેનિયન રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું.

ભારતીય નાવિકો વાળા જહાજ પર થયેલા હુમલાની વાત કરીએ તો તે યુક્રેનના ઓડેસા બંદર નજીક થયો છે. બે દિવસ બાદ ભારતીય દૂતાવાસે યુક્રેનિયન રાજદૂતને સમન્સ પાઠવ્યા હતા. આ હુમલા બાદ બે ભારતીય નાવિકોને શોધી કાઢવામાં આવ્યા છે. તેઓ સલામત છે પરંતુ અન્ય બે હજુ લાપતા છે, જેમને શોધવા સર્ચ ઓપરેશન ચાલુ છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું

યુક્રેનના રાજદૂતને ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા સમન્સ પાઠવવાને લઇને મંત્રાલય તરફથી જણાવ્યું હતું કે આજે વેપારી જહાજ એમવી ઓમોર્ફી પર થયેલા હુમલાના સંદર્ભમાં ભારતમાં યુક્રેનના રાજદૂત ડો.ઓલેક્સાંદ્ર પોલિશચુકને  વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવ્યા છે. મંત્રાલયે કહ્યું કે મંત્રાલય આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરે છે અને વેપારી જહાજો પર આવા હુમલાની સખત નિંદા કરે છે, જે દરિયાઇ નેવિગેશનની સલામતી, નેવિગેશનની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પ્રતિકૂળ અસરને રેખાંકિત કરે છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે રાજદૂતને યુક્રેનિયન અધિકારીઓને વ્યાપારી જહાજોને નિશાન બનાવવા અંગે ભારતની ઊંડી ચિંતાથી માહિતગાર કરવા વિનંતી કરી છે. પુનરોચ્ચાર કર્યો કે નિર્દોષ નાગરિક નાવિકોના જીવનને જોખમમાં મૂકતા આવા કૃત્યો અસ્વીકાર્ય છે અને તેને ટાળવા જોઈએ.

વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી હતી

યુક્રેનના દરિયાઇ વિસ્તારમાં થયેલા આ હુમલા બાદ વિદેશ મંત્રાલયે રવિવારે વિગતવાર એડવાઈઝરી જાહેર કરી હતી. વિદેશ મંત્રાલયે નાવિકોને સલાહ આપી છે કે તેઓ દરિયાઇ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અને જોખમોનું મૂલ્યાંકન કર્યા પછી જ નોકરી સ્વીકારે અથવા કોઈ કરાર પર હસ્તાક્ષર કરે. છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય ક્રૂ મેમ્બર્સ પર આ ત્રીજો હુમલો હતો.

18 જુલાઈથી લઇને અત્યાર સુધીમાં બ્લેક સાગરથી સંબંધિત સમુદ્ર ક્ષેત્રમાં થયેલા હુમલામાં પાંચ ભારતીય નાવિકો માર્યા ગયા છે. જે પછી નવી દિલ્હીએ તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજદ્વારી પ્રયાસો વધાર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *