રાજકોટમાં UGC સંબંધિત મુદ્દાને લઈને સવર્ણ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ. બેઠકમાં સવર્ણ સમાજના ઉત્કર્ષ તથા સમાજ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. શિક્ષણ, રોજગાર અને વિદ્યાર્થીઓને અસર કરતા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આગેવાનોએ દાવો કર્યો કે, સવર્ણ સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થાય તે સમાજ ક્યારેય સહન નહીં કરે. બેઠકમાં પાટીદાર સમાજના નેતા દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ, બ્રાહ્મણ સમાજના અગ્રણી મિલન શુકલ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન ટીકુભા જાડેજા સહિતના અનેક પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
Source link
