પ્યાર મેં દિલ દે દિયા: પરણેલી મહિલા ભાડાના મકાનમાં રહેતા યુવક પર ફીદા થઈ, હવે સાથે રહેવાની જીદ પકડી

પ્યાર મેં દિલ દે દિયા: પરણેલી મહિલા ભાડાના મકાનમાં રહેતા યુવક પર ફીદા થઈ, હવે સાથે રહેવાની જીદ પકડી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

અંકિતાએ જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે પિયરમાં રહેતી હતી, એ દરમ્યાન તેની ઓળખ મંડફિયામાં કાપડની ફેક્ટરીમાં કામ કરતા યુવક રાજેશ સાથે થઈ.

News18
News18

ચૂરુ: કહેવાય છે કે પ્રેમ ન ઉંમર જુએ છે, ન કોઈ સરહદ. એ તો બસ થઈ જાય છે. કંઈક આવી જ લવ સ્ટોરી રાજસ્થાનના ચૂરુ જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં પહેલાથી પરિણીત એક મહિલા પોતાના ફળિયામાં ભાડાના મકાનમાં રહેતા યુવકને દિલ દઈ બેઠી. બંનેએ સાથે રહેવાની જીદ પકડી અને હવે પોતાની સુરક્ષાને લઈને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા છે. મંગળવારે યુવક અને મહિલા એસપી કાર્યાલયે પહોંચ્યા અને પોતાના જીવને જોખમ હોવાનું કહી સુરક્ષાની માગ કરી હતી.

આ મહિલાની ઓળખ ભીલવાડાના મંડફિયાની રહેવાસી અંકિતા તરીકે થઈ છે. અંકિતાએ જણાવ્યું કે તેના લગ્ન લગભગ ચાર વર્ષ પહેલા ભીલવાડાના કરણવાસ ગામના રહેવાસી યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેમને એક દોઢ વર્ષની દીકરી પણ છે. અંકિતાનું કહેવું છે કે તે પોતાના પતિ અને સાસરિયાની ખોટી આદતથી કંટાળી ગઈ. જેના કારણે તેનું લગ્નજીવન તણાવભર્યું થઈ ગયું.

પિયરમાં દોસ્તી થઈ, પ્રેમમાં બદલાઈ

અંકિતાએ જણાવ્યું કે લગભગ એક વર્ષ પહેલા જ્યારે તે પિયરમાં રહેતી હતી, એ દરમ્યાન તેની ઓળખ મંડફિયામાં કાપડની ફેક્ટરીમાં કામ કરતા યુવક રાજેશ સાથે થઈ. રાજેશ મૂળ સરદારશહર તાલુકાના ગામ ખુંડિયાનો રહેવાસી છે અને તેની ઉંમર 22 વર્ષ છે. બંનેની વાતચીત શરુ થઈ અને ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. અંકિતાનું કહેવું છે કે રાજેશે તેને સમજી અને સહાનુભૂતિ આપી. જેનાથી બંને ભાવનાત્મક રીતે જોડાઈ ગયા.

પતિ અને સાસરિયા પર ગંભીર આરોપ લગાવ્યો

એસપી કાર્યાલય પહોંચેલી અંકિતાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ તેના પર પોતાના મિત્રો સાથે ફ્રેન્ડશિપ કરાવવાનું દબાણ કરતો હતો. તેનું કહેવું છે કે પતિ સાંજે દારુ પીને ઘરે આવતો હતો અને પોતાના મિત્રોને પણ સાથે લાવતો હતો. તે કહેતો હતો કે તેમની સાથે દોસ્તી કરો. અંકિતાએ એવું પણ કહ્યું કે તેના સસરા પણ રાતના સમયે દારુના નશામાં ઘરમાંથી બહાર કાઢી મુકતા હતા. આવી સ્થિતિમાં માનસિક રીતે તૂટી ચુકી હતી આ દરમ્યાન રાજેશ સાથે તેનો સંબંધ બંધાયો.

લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય

અંકિતા અને રાજેશે જણાવ્યું કે 7 જાન્યુઆરીના રોજ બંને ભીલવાડાથી ભાગીને સરદારશહર પહોંચી ગયા. અહીં તેમણે તાલુકાની ઓફિસમાં લિવ-ઇન રિલેશનશિપના ડોક્યુમેન્ટ તૈયાર કરાવી લીધા. બંનેનું કહેવું છે કે તેઓ હવે સાથે રહેવા માગે છે અને પોતાની મરજીથી જીવવા માગે છે.

જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

એસપી કાર્યાલયે આવેલા આ કપલે જણાવ્યું કે અંકિતાના સાસરિયાવાળા તરફથી તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બંનેએ કહ્યું કે ડર છે કે તેમની સાથે કોઈ અઘટિત ઘટના ન ઘટે. આ આશંકાના કારણે તેઓ પોલીસ પાસે આવ્યા છે અને સુરક્ષાની માગ કરી રહ્યા છે. પોલીસે પણ આ કિસ્સો સાંભળી જરુરી કાર્યવાહી કરવા અને તપાસનું આશ્વાસન આપ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *