‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના સ્થાપક અભિજીત દીપકે જેઓ NEET પેપર લીકને લઈને દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રખ્યાત થયા હતા. તેમણે જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં ‘જંતર મંતર સીઝન 2’ શરૂ કરશે.
બુધવારે વોલેન્ટીયર્સ મીટ માટે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા દીપકે કહ્યું, “ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર ટિપ્પણી કરી રહ્યા હતા કે ‘જંતર મંતર સીઝન 2’ ક્યારે શરૂ થશે. હું તેમને કહેવા માંગુ છું કે ‘જંતર મંતર સીઝન 2’ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે.”
ફરીથી શરૂ થશે જંતર મંતર જેવું આંદોલન?
‘જંતર મંતર સીઝન 2’ અંગે દીપકે જણાવ્યું કે તે CJP દ્વારા સંચાલિત એક ઝુંબેશ હશે જેનો હેતુ દેશભરમાં વર્ષોથી અવગણવામાં આવેલી ગામડાની શાળાઓને સુધારવાનો છે. CJP એ અગાઉ ઘણી વખત સંકેત આપ્યો છે કે તે જંતર મંતર વિરોધ જેવું જ બીજું આંદોલન શરૂ કરશે.
સીઝન 2 વિશે કોઈ વિગતવાર માહિતી આપી નહીં
જ્યારે દીપકે ચોક્કસ વિગતો આપી ન હતી તેમની ટિપ્પણી સૂચવે છે કે CJP જંતર-મંતર પરના તેના અગાઉના અભિયાન પછી વિરોધ સ્થળ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યું છે. CJPના સ્થાપકે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં શાળાના બાળકો દ્વારા હમીરપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી કૂચ કરીને તેમની શાળા સુધી યોગ્ય રસ્તાઓની માંગણી કરતા વિરોધને ટેકો આપ્યો હતો.
#WATCH | Delhi | On CJP Founder Dipke’s “Jantar Mantar Season 2” assertion, occasion Chief Spokesperson Saurav Das says, “This itself is Season Two. Protests are going down throughout the nation in opposition to such incompetent governments and officers. On behalf of CJP, we at the moment are embarking… https://t.co/aEWw3zz8m6pic.twitter.com/U6jtHKe2PF
— ANI (@ANI) August 12, 2026
સૌરવ દાસે જણાવ્યો પાર્ટીનો આગળનો પ્લાન
દીપકેના નિવેદનને સંબોધતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું, “આ સ્વતંત્રતા દિવસથી અમે શિક્ષણના મુદ્દાને પ્રાથમિકતા આપતા રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરીશું. આ એક અર્થમાં ‘સીઝન 2’ છે. આવી અસમર્થ સરકારો અને અધિકારીઓ સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. CJP વતી અમે હવે જનતા શું કહે છે તે સાંભળવા માટે દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ શરૂ કરી રહ્યા છીએ.”
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જાહેર થયું ઓરેન્જ અને યલો એલર્ટ
સૌરવ દાસે વધુમાં જણાવ્યું કે તેઓ વાલીઓ અને નાગરિકોને સરકારી શાળાઓની મુલાકાત લેવા, સામાજિક ઓડિટ કરવા ત્યાંની પરિસ્થિતિઓનું દસ્તાવેજીકરણ કરવા અને તેમની સાથે વાસ્તવિકતા શેર કરવા માટે વિનંતી કરતી ઝુંબેશ ચલાવશે. તેમણે ઉમેર્યું કે યુવાનો જવાબદારી લેવા માટે આગળ આવી રહ્યા છે અને ખૂબ જ ટૂંક સમયમાં ખરેખર ‘વિકસિત ભારત’ ઉભરી આવશે.
