X પર એક પોસ્ટ શેર કરતી વખતે જસપ્રીત બુમરાહે લખ્યું, ‘હું જાણું છું કે ફેક ન્યૂઝ ફેલાવવાનું સરળ છે પરંતુ આનાથી મને હસવું આવ્યું.’ તમને જણાવી દઈએ કે, બુમરાહ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈજાગ્રસ્ત થયો હતો. તે પ્રથમ દાવમાં પૂરી તાકાતથી બોલિંગ કરી શક્યો ન હતો અને પછી તેણે મેદાન છોડવું પડ્યું હતું. આ પછી તેને સ્કેનિંગ માટે પણ મોકલવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેની ઈજાના ઘણા અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ BCCIએ હજુ સુધી તેના વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
