ભાવનગરઃ બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના ચર્ચિત કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. SITની પૂછપરછ બાદ અને જયરાજ સામેના પુરાવા મળ્યા બાદ હવે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોળી સમાજના યુવક નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહીરને આજે ફરી પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ભાવનગર રેન્જ આઈજીની કચેરીએ બોલાવ્યો હતો.
Source link
