ગુજરાતમાં માધ્યમિક શિક્ષણનો મોટો પડકાર: 15.7% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે

ગુજરાતમાં માધ્યમિક શિક્ષણનો મોટો પડકાર: 15.7% વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Faculty Dropout: શિક્ષણ મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવાનો એટલે કે ડ્રોપઆઉટ દર 15.7 ટકા છે, જ્યારે દેશનો સરેરાશ દર 9.5 ટકા છે. આ આંકડા દર્શાવે છે કે પ્રાથમિક શિક્ષણ પછી વિદ્યાર્થીઓને શાળામાં જાળવી રાખવામાં ગુજરાતને મુશ્કેલી પડી રહી છે.

અહેવાલમાં ગુજરાતને રેડ ઝોનમાં સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે રાજ્યમાં દર 100માંથી 15થી વધુ વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષાએ પહોંચતા પહેલાં અથવા તે દરમિયાન અભ્યાસ છોડી દે છે.

કેન્દ્ર સરકારની યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) 2025-26ના આંકડા મુજબ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓના પ્રવેશનો દર પણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઓછો છે. જે ચિંતાજનક છે. આ સ્થિતિ એવા સમયે સામે આવી છે કે રાજ્ય સરકાર છેલ્લા વીસ વર્ષથી વધુ સમયથી ‘શાળા પ્રવેશોત્સવ’ જેવા વિશેષ અભિયાન ચલાવી રહી છે.

UDISE+ એ દેશની શૈક્ષણિક માહિતીની કેન્દ્રીય વ્યવસ્થા છે, જેમાં શાળાઓ પોતાના વિદ્યાર્થીઓ અને અન્ય વિગતોના આંકડા નિયમિત રીતે નોંધાવે છે. આ આંકડા મુજબ ગુજરાતમાં વયજૂથ મુજબનો પ્રવેશ દર (ASER) પણ દેશની સરેરાશ કરતાં ઓછો છે.

વર્ષ 2025-26ના અહેવાલ અનુસાર ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો શુદ્ધ પ્રવેશ દર (Web Enrolment Price) માત્ર 29.1 ટકા છે. એટલે કે, જે વયના વિદ્યાર્થીઓએ આ કક્ષામાં અભ્યાસ કરવો જોઈએ તેમાંથી માત્ર 29.1 ટકા વિદ્યાર્થીઓ જ દાખલ થયા છે. છોકરીઓનો પ્રવેશ દર 29.6 ટકા છે, જ્યારે દેશનો સરેરાશ 41.1 ટકા છે.

UDISE આંકડા સુધર્યા છતાં ચિંતાજનક

UDISEના આંકડા મુજબ ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પ્રવેશનો દર 2022-23માં 40 ટકાથી વધુ હતો. તે 2023-24માં 34.7 ટકા થયો અને 2024-25માં ઘટીને માત્ર 24 ટકા રહ્યો. ત્યારબાદ 2025-26માં તેમાં થોડો સુધારો થઈ 29 ટકા થયો, છતાં તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.

ASERના આંકડા દર્શાવે છે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં પ્રવેશ માટે પાત્ર વિદ્યાર્થીઓમાંથી ગુજરાતમાં માત્ર 31.3 ટકા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે દેશની સરેરાશ અનુક્રમે 51.3 ટકા અને 52.5 ટકા છે.

માધ્યમિક કક્ષાના પ્રવેશના આંકડાઓ પણ ચિંતાજનક છે. 2022-23માં પ્રવેશ દર 49.5 ટકા હતો, જે 2023-24માં ઘટીને 45.7 ટકા થયો અને 2024-25માં વધુ ઘટીને માત્ર 26.1 ટકા નોંધાયો.

પ્રવેશના આંકડાઓ સાથે સંકળાયેલા એક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવાના અનેક કારણો છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળા બદલે છે, કેટલાકના બાળલગ્ન થઈ જાય છે, જ્યારે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ઘણા છોકરાઓ પરિવારને આર્થિક મદદ કરવા માટે અભ્યાસ છોડી દે છે. 

બીજી તરફ, ઘણી છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે અન્ય ગામ કે શહેરમાં જવાની સામાજિક મર્યાદાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત, ઘણા વિદ્યાર્થીઓ માધ્યમિક કક્ષામાં પરીક્ષામાં નાપાસ થયા પછી પણ અભ્યાસ અધૂરો છોડી દે છે.

પ્રાથમિક શિક્ષણમાં સ્થિતિ સંતોષકારક

પ્રાથમિક શાળાઓમાં ગુજરાતની સ્થિતિ સારી છે અને ત્યાં ડ્રોપઆઉટ દર શૂન્ય નોંધાયો છે. જોકે, ધોરણ 9 અને 10માં અભ્યાસ છોડનારા છોકરાઓનો દર 17.6 ટકા છે, જે દેશની સરેરાશ 10.9 ટકા કરતાં ઘણો વધુ છે. છોકરીઓમાં આ દર 13.3 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 8 ટકા છે.

આથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત બાળકોને પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં સફળ રહ્યું છે, પરંતુ તેઓ માધ્યમિક કક્ષાએ પહોંચ્યા પછી તેમને શિક્ષણમાં સતત જાળવી રાખવામાં હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો: દેશનું સૌથી વિશ્વસનીય રોકાણ સ્થળ બન્યું ગુજરાત, જાણો બીજા અને ત્રીજા ક્રમે કયા રાજ્યો?

એક સકારાત્મક પાસું પણ

રાજ્યની કુલ 53,425 શાળાઓમાંથી, એકપણ વિદ્યાર્થી દાખલ ન હોય તેવી શાળાઓની સંખ્યા 2024-25માં 63 હતી, જે 2025-26માં ઘટીને 58 થઈ છે. તેવી જ રીતે આવી શાળાઓમાં કાર્યરત શિક્ષકોની સંખ્યા પણ 78માંથી ઘટીને 74 થઈ છે.

UDISEના પરિણામો જાહેર થાય તે પહેલાં જૂન મહિનામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય સરકારે અગાઉના વર્ષે અભ્યાસ છોડી ચૂકેલા અંદાજે 6.4 લાખ વિદ્યાર્થીઓને ફરી શાળામાં જોડવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ દિવસીય અભિયાન પૂર્ણ થયા બાદ પણ આશરે 50 હજાર વિદ્યાર્થીઓ હજુ શાળામાં પરત ફર્યા નહોતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *