Air India Information : એર ઈન્ડિયાએ શુક્રવારે તે પાયલટને નોકરીમાંથી કાઢી મુક્યો છે જેણે ફૂકેતથી દિલ્હી જતી ફ્લાઈટ હવામાં 300 ફૂટ નીચે ઉડાવી હતી. એર ઇન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે પાયલટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 4 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાની ફૂકેત-દિલ્હી ફ્લાઈટ અચાનક 300 ફૂટ નીચે આવી ગઈ હતી. જેના કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ફ્લાઇટમાં 20 મુસાફરો અને ચાર કેબિન ક્રૂ મેમ્બર્સ ઘાયલ થયા હતા.
આ ફ્લાઇટ લગભગ 36,000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહી હતી અને પછી અચાનક જોરદાર ટર્બુલેંસના કારણે 300 ફૂટ નીચે આવી ગઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું
એર ઇન્ડિયાના પ્રવક્તાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફૂકેત-દિલ્હી ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડની તપાસ દરમિયાન એક સાયકોએક્ટિવ પદાર્થ (નશીલો પદાર્થ) મળી આવ્યો હતો. એર ઈન્ડિયાની ‘ઝીરો-ટોલરન્સ’ નીતિ હેઠળ સલામતી, ફિટનેસ અથવા નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં પાઇલોટ નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.
આજે બપોરે જ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ તેનો અહેવાલ બહાર પાડ્યો હતો, આ અહેવાલ અનુસાર પુષ્ટિ પરીક્ષણમાં પાઇલટ સાયકોએક્ટિવ પદાર્થ માટે નોન નેગેટિવ આવ્યું હતું. AAIB એ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ને આ મામલે પાયલટ વિરુદ્ધ પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
AAIB ના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે PIC (પાયલોટ ઇન કમાન્ડ) તે સમયે પાયલોટ મોનિટરિંગની ભૂમિકામાં હતા, એટલે કે તેઓ બે પાયલોટ વાળા વિમાનના તે ક્રૂ મેમ્બર્સ હતા જે તે સમયે મુખ્ય કંટ્રોલ સંભાળી રહ્યા ન હતા. ટેસ્ટમાં બંને કો પાયલટ નેગેટિવ આવ્યા હતા. રિપોર્ટમાં સાયકોએક્ટિવ પદાર્થોની હાજરી અને વિમાનની ઊંચાઈ વચ્ચે કોઈ સંબંધ જોવા મળ્યો નથી.
એએઆઈબીએ એવિએશન રેગ્યુલેટર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ને સાયકોએક્ટિવ પદાર્થોના દુરુપયોગને રોકવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે. એએઆઈબીએ આવા પદાર્થોના ઉપયોગને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તકનીકી અને અન્ય પાસાઓની વિગતવાર તપાસ હજી ચાલી રહી છે.
હાઇડ્રોલિક સિસ્ટમ ઠપ પડી
આ ફ્લાઇટ થાઇલેન્ડના ફૂકેતથી સવારે 7:11 વાગ્યે રવાના થઈ હતી અને શરૂઆતમાં કોઈ સમસ્યા ન હતી. સવારે 9:10 વાગ્યે તે કોલકાતા ફ્લાઇટ ઇન્ફર્મેશન રિજનમાં પ્રવેશ કર્યો હતો. સવારે 09:32 વાગ્યે એરક્રાફ્ટની ફ્લાઇટ-કંટ્રોલ સિસ્ટમે ગ્રીન હાઇડ્રોલિક સિસ્ટમ કામ કરતી ન હોવાનું શોધી કાઢ્યું. ચાર સેકન્ડ પછી તેણે બ્લૂ અને યલ્લો હાઇડ્રોલિક સિસ્ટમ કામ ના કરવાની પણ જાણ થઇ હતી.
Air India Spokesperson: “The Pilot-in-Command of the Phuket-Delhi flight examined constructive for a psychoactive substance. In keeping with Air India’s zero-tolerance method to violation of security, health or regulatory necessities, the pilot’s employment has been terminated with… pic.twitter.com/So6bLdLoO5
— ANI (@ANI) September 4, 2026
હાઇડ્રોલિક સિસ્ટમ્સ વિમાનના ઘણા ભાગોને ચલાવે છે, જેમાં વ્હીલ બ્રેક્સ, નોઝ-વ્હીલ સ્ટીયરિંગ, લેન્ડિંગ ગિયરને પાછળ ખેંચવું, ફ્લાઇટ કંટ્રોલ સરફેસ, વિન્ડશિલ્ડ વાઇપર અને પ્રોપેલર પિચ કંટ્રોલનો સમાવેશ થાય છે. બાદમાં, ઓટોપાયલોટ બંધ થઇ ગયો અને ત્યાં સતત એક જેવો અવાજ (chime) થવા લાગ્યો હતો. ત્રણ સેકન્ડ પછી બે સેકન્ડ માટે ‘સ્ટોલ વોર્નિંગ’ ચાલુ થઇ હતી.
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો, બીજાની શોધ માટે સર્ચ ઓપરેશન
એએઆઈબીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફ્લાઇટ દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક ફેરફાર થયો હતો. શરૂઆતમાં વિમાન તેની નિશ્ચિત ઊંચાઈ FL372 થી 360 ફૂટ ઉપર ગયું હતું અને પછી 292 ફૂટ નીચે આવ્યું હતું.
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ‘બ્લુ હાઇડ્રોલિક સિસ્ટમ’ સવારે લગભગ 09:32 વાગ્યે ફરીથી સક્રિય કરવામાં આવી હતી. થોડી સેકંડ પછી યલ્લો અને ગ્રીન હાઇડ્રોલિક સિસ્ટમ્સ પણ ચાલુ થઇ હતી, જેનાથી વિમાનના કંટ્રોલ સરફેસ પર ફરીથી નિયંત્રણ મેળવ્યું હતું અને સામાન્ય રુમથી કામ કરવાની સ્થિતિમાં પાછું ફર્યું હતું.
