આ દંપતીનું જીવન સંઘર્ષોથી ભરેલું છે, પરંતુ તેમાં કડવાશ નથી. તેઓ ભીખ માગીને જીવન જીવવા માંગતા નથી. તેમની એક જ અપીલ છે કે અમને દયા નહીં, પરંતુ સપોર્ટ જોઈએ. જો તમને પાન, બિસ્કિટ, વેફર કે પાન મસાલા જેવી કોઈ પણ વસ્તુ જોઈએ, તો અમારી પાસેથી ખરીદી કરો. તમારી એક નાની ખરીદી પણ અમારા માટે મોટો સહારો બની શકે છે. આ પ્રેરણાદાયી કહાની માત્ર એક અંધ દંપતીની નથી, પરંતુ દરેક એ વ્યક્તિ માટે છે જે જીવનમાં કોઈને કોઈ મર્યાદાથી હાર માની બેઠો છે. તેમની જીવનયાત્રા આપણને શીખવે છે કે સાચી દ્રષ્ટિ આંખોમાં નહીં, પરંતુ મનમાં હોય છે. આત્મસન્માન, મહેનત અને સકારાત્મક વિચારોથી કોઈપણ અંધકારને હરાવી શકાય છે. રાજકોટના રૈયા રોડ પર આવેલી આ નાની દુકાન આજે સમાજ માટે હિંમત અને માનવતાનો મોટો સંદેશ બની ગઈ છે.

