અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતાં ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રનાં મોત નીપજ્યાં છે, જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. ગોહિલ પરિવારના સભ્યો રાત્રિના ભરનિદ્રામાં હતા ત્યારે જ સાડા ત્રણ વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે ત્રણ લોકો બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા અને 9 વર્ષીય પુત્ર ઘરમાં જ ભડથું થઈ ગયા હતા. શોટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘરમાં અન્ય લોકોને ગુંગળામણ થતા તેઓ બાલ્કનીમાંથી પાડોશીના મકાનમાંથી બહાર સોસાયટીમાં નીચે ઊતરી ગયાં હતાં.
Source link
