23 માર્ચ સોમવારના રોજ પેટ્રોલની અછતની અફવાહ ફેલાતા જ પહેલા અમદાવાદ અને પછી રાજ્યના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ માટે લાંબી કતારો લાગી, આજે સવારે પણ પેટ્રોલ પંપો પર લોકો પોતાના વાહનોની ટાંકી ફુલ કરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા હતા. જોકે ગઈ કાલે જ રાજ્યમા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ છે અને લોકોએ લાઈનોમાં ઉભા રહેવાની જરૂર નથી, છતા રાજ્યના નાગરીકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે લાઈન લગાવીને ઉભા રહી ગયા હતા.
ગુજરાત સરકારનો દાવો છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. પરિણામે ભવિષ્ય માટે પેટ્રોલ પંપ પર લોકોને ઇંધણનો સંગ્રહ કરવા માટે લાંબી કતારો લગાવવાની જરૂર નથી. ગુજરાતના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે અફવાઓ ફેલાઈ રહી છે. તેના જવાબમાં રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સોમવારે એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું. આ નિવેદન દ્વારા સામાન્ય લોકોને ખાતરી આપવામાં આવી હતી કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે.
ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે જણાવ્યું હતું કે રાજ્યભરના તમામ પેટ્રોલ પંપ પર વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે. તેથી નાગરિકોને પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવવાની કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. વધુમાં રાજ્યમાં ઇંધણનો પૂરતો ‘બફર સ્ટોક’ પણ ઉપલબ્ધ છે, જેનાથી ગભરાટ કે ઉતાવળિયા પગલાં લેવાની કોઈ જરૂર નથી.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/03/24/gujarat-government-clarifies-on-petrol-and-diesel-stock-availability-2026-03-24-15-26-58.jpg)
પંપ બંધ કરનારાઓ સામે કાર્યવાહી
અધિક મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે અમુક સ્થળોએ ઇંધણની અછત અંગેના અહેવાલો માત્ર અફવાઓ છે. જો કોઈ ડીલર ઉપલબ્ધ સ્ટોક હોવા છતાં જાણી જોઈને પોતાનો પંપ બંધ રાખે છે અથવા લોકોને અસુવિધા પહોંચાડે છે, તો તેમની સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
’25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા’, સંસદમાં પીએમ મોદીના નિવેદન પર રાહુલ ગાંધી
પેટ્રોલ પંપ પર લાંબી કતારો બનાવવાનું ટાળો
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના રાજ્ય નોડલ અધિકારી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજીબ કુમાર બેહેરાએ ખાતરી આપી હતી કે ગુજરાતભરના તમામ પેટ્રોલ અને ડીઝલ ડેપો અને ટર્મિનલ પર પૂરતા પ્રમાણમાં ઇંધણ ઉપલબ્ધ છે. તેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર કતારો બનાવવાની જરૂર નથી, કારણ કે તેઓ કોઈપણ સમયે જરૂરી માત્રામાં ઇંધણ મેળવી શકશે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખે જણાવ્યું હતું કે ઓઇલ કંપનીઓએ તેમના સપ્લાયના કલાકો લંબાવ્યા છે અને તેમના ભંડારમાં પણ વધારો કર્યો છે. વધુમાં તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ અથવા ભ્રામક સંદેશાઓના આધારે પેટ્રોલ પંપ પર ભીડ ના કરે. ગુજરાતમાં ઇંધણની કોઈ અછત નથી અને ભવિષ્યમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થવાની અપેક્ષા નથી.
