જીવનશૈલી | ક્રોનિક કિડની ડિસીઝ (CKD) શરીરના બ્લડ સુગર લેવલને ઘણી રીતે અસર કરી શકે છે. સામાન્ય રીતે, સ્વસ્થ કિડની ઇન્સ્યુલિનને તોડવામાં મદદ કરે છે અને જરૂર પડ્યે શરીર માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે.
જ્યારે કિડનીનું કાર્ય ધીમું પડી જાય છે, ત્યારે ઇન્સ્યુલિન શરીરમાં લાંબા સમય સુધી રહે છે, જેના કારણે બ્લડ સુગર લેવલ અપેક્ષા કરતા ઓછું થઈ જાય છે.
કિડનીની બીમારીમાં બ્લડ શુગર ઓછું થવાના કારણો
થાણે સ્થિત KIMS હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્વિસીસ સ્પેશિયાલિસ્ટ ડૉ. સુમીરન મહાજને જણાવ્યું કે “ડાયાબિટીસ ધરાવતા અને ઇન્સ્યુલિન અથવા અન્ય ડાયાબિટીસ દવાઓ લેતા દર્દીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે.”
શું કિડનીના દર્દીઓમાં લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું હોવું સામાન્ય છે?
ડૉ. મહાજન કહે છે કે કિડનીના અંતિમ તબક્કાના રોગમાં આવું થવાની શક્યતા વધુ હોય છે. ડૉ. મહાજને કહ્યું કે “ભૂખ ન લાગવી, ખોરાક પર પ્રતિબંધ, ઉબકા અને અચાનક વજન ઘટાડવું એ ઘણા CKD દર્દીઓમાં જોવા મળતી સામાન્ય સમસ્યાઓ છે. આનાથી બ્લડ સુગરનું સ્તર ઓછું થઈ શકે છે.
કેટલીકવાર શરીરની ઇન્સ્યુલિનની જરૂરિયાત બદલાય ત્યારે પણ દર્દીઓ તેમની ડાયાબિટીસની દવાઓ એક જ માત્રામાં લેવાનું ચાલુ રાખે છે. આ હાઈપોગ્લાયકેમિઆનું જોખમ વધારે છે.”
ધ્યાન રાખવાના લક્ષણો
લોહીમાં શર્કરાનું સ્તર ઓછું થવાથી પરસેવો, ધ્રુજારી, ચક્કર, થાક, ભૂખ લાગવી, માથાનો દુખાવો, મૂંઝવણ, ઝાંખી દ્રષ્ટિ અથવા ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે.
ડૉ. મહાજને જણાવ્યું કે “ગંભીર કિસ્સાઓમાં, જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો આ ચેતના ગુમાવવાનું કારણ બની શકે છે. ડાયાબિટીસ અને કિડની રોગ ધરાવતા લોકો માટે નિયમિત પરીક્ષણ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે કેટલાક લક્ષણો ખૂબ જ હળવા હોઈ શકે છે.”
શું લોહીમાં સુગરનું પ્રમાણ ઓછું થવું એ કિડની રોગ વધારી શકે?
ક્યારેય પણ, લોહીમાં બ્લડ સુગર લેવલમાં અચાનક ઘટાડો થવાને સ્વસ્થ થવાનો સારો સંકેત ન માનો. તેના બદલે, કારણ કે કિડનીનું કાર્ય બગડે છે તેમ ઇન્સ્યુલિન અને દવાઓ પ્રત્યે શરીરનો પ્રતિભાવ બદલાય છે. તેથી જો તમને આવા અચાનક ફેરફારોનો અનુભવ થાય છે, તો તમારે ચોક્કસ કારણ શોધવા માટે તાત્કાલિક ડોક્ટર સંપર્ક કરવો જોઈએ.
બપોરના ભોજનમાં આ વસ્તુ ખાઓ, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે
લોહીમાં સુગર ઓછું ન થાય તે માટે શું કરવું?
ડૉ. મહાજને કિડનીના દર્દીઓને લો બ્લડ સુગર અટકાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે. નિયમિત અંતરાલે બ્લડ સુગર લેવલ તપાસો. સમયસર ખાવાનું ભૂલશો નહીં અને ભૂખ્યા ન રહો.
જેમ જેમ કિડનીનો રોગ વધતો જાય છે તેમ તેમ દવાઓના ડોઝમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. ડૉક્ટરની સલાહ મુજબ જ દવાઓને સમાયોજિત કરો. નિયમિતપણે ડૉક્ટરને મળો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
