dk shivakumar authorities : કર્ણાટકમાં કોંગ્રેસ સરકારમાં ખેંચતાણ જોવા મળી રહી છે. કર્ણાટક સરકારના મંત્રી કે.એચ. મુનિયપ્પાએ વિભાગોની ફાળવણી અંગે નારાજગી વ્યક્ત કરી છે. આ પહેલા વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ આ મુદ્દે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. ડીકે શિવકુમારે 3 જૂને મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા, પરંતુ બે દિવસમાં જ બે મોટા નેતાઓની નારાજગીને કારણે કોંગ્રેસ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાલ બેંગલુરુમાં છે. રાહુલ ગાંધીએ બેંગલુરુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરીને અસંતોષ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
મુનિયપ્પાએ શું કહ્યું?
મુનિયપ્પાએ કહ્યું કે વરિષ્ઠતાનું યોગ્ય સન્માન કરવામાં આવ્યું નથી. તેમણે કોંગ્રેસના નેતૃત્વને પોર્ટફોલિયોની ફાળવણી પર પુનર્વિચારણા કરવા અપીલ કરી હતી. મુનિયપ્પાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આપવામાં આવ્યો છે, જ્યારે તે સમાજ કલ્યાણ અથવા કૃષિ વિભાગ ઇચ્છતા હતા.
મુનિયપ્પાએ પત્રકારોને જણાવ્યું હતું કે સિનિયોરિટીનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. રામલિંગા રેડ્ડી આઠ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હું પણ આઠ વખત ધારાસભ્ય ચૂંટાયો છું. અન્ય નેતાઓ પણ છે જે સાત, છ વખત અને પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ બધી બાબતોને સંતુલિત રીતે જોવી જોઈએ.
મલ્લિકાર્જુન ખડગેને કરી અપીલ
મુનિયપ્પાએ મલ્લિકાર્જુન ખડગેને અપીલ કરી છે કે તે એ સુનિશ્ચિત કરે કે અનુભવી નેતાઓ સાથે એક જેવો વ્યવહાર કરવામાં આવે. મુનિયાપ્પાએ કહ્યું કે તેમણે એવા પોર્ટફોલિયોની માંગ કરી હતી જેના દ્વારા તેઓ મોટા પાયે લોકોની સેવા કરી શકે અને પાર્ટીના નેતૃત્વને તેમની પ્રાથમિકતાઓની જાણ કરી દીધી હતી.
દિલ્હી આગ : ‘હું 20 લાખ રૂપિયા આપીશ, તમામ ગેરકાયદેસર મકાનો તોડી પાડો’
મુનિયપ્પાએ કહ્યું કે તેમણે રાહુલ ગાંધીને વિનંતી કરી હતી કે તેમને લોકોની સેવા કરવા માટે સમાજ કલ્યાણ વિભાગ અને કૃષિ વિભાગ આપવામાં આવે.
વિભાગોની ફાળવણીની સમીક્ષા કરવા વિનંતી
મુનિયપ્પાએ મુખ્યમંત્રી શિવકુમાર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બી.કે હરિપ્રસાદને વરિષ્ઠ નેતાઓને વિશ્વાસમાં લઈને વિભાગોની ફાળવણીની સમીક્ષા કરવા વિનંતી કરી છે. મુનિયપ્પાએ કહ્યું કે મારું રાજનીતિક જીવન 50 વર્ષનું છે. મેં આ સમયગાળા દરમિયાન પાર્ટીના જમીનના કાર્યકર તરીકે કામ કર્યું છે. હું ફક્ત વિનંતી કરું છું કે અસંતુલન સુધારવું જોઈએ.
મુનિયપ્પાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પાર્ટીનું નેતૃત્વ આ ચિંતાઓને દૂર કરશે. મુનિયપ્પાએ કહ્યું કે આવા પગલાથી 2028 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તામાં પાછા ફરવામાં મદદ મળશે.
