ગુરુવારે જગન્નાથ રથયાત્રાના પહેલા દિવસે પુરીના ગ્રાન્ડ રોડ (બડા દંડા) પર ભારે ભીડને કારણે ભાગદોડ મચી ગઈ. લાખો ભક્તોની ભીડ વચ્ચે અંધાધૂંધી સર્જાઈ, જેના પરિણામે એક ભક્તનું મોત થયું. જ્યારે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી. અહેવાલો સૂચવે છે કે 200 થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અહેવાલો અનુસાર, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથોને મંદિરમાંથી બહાર લાવવામાં આવી રહ્યા હતા ત્યારે ભક્તોની મોટી ભીડ ગ્રાન્ડ રોડ પર ઉમટી પડી હતી. એક ભક્ત ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયો હતો અને તેને તાત્કાલિક પુરી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (DHH) લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે વહીવટીતંત્રે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુની પુષ્ટિ કરી નથી.
VIDEO | Puri: A number of devotees faint throughout Jagannath Rath Yatra.
(Full video accessible on PTI Movies – https://t.co/n147TvrpG7) pic.twitter.com/nejFj72WE7
— Press Belief of India (@PTI_News) July 16, 2026
સ્પેશિયલ રેસ્ક્યુ યુનિટ (SRU) ની ટીમોએ અસરગ્રસ્ત શ્રદ્ધાળુઓને ભીડમાંથી બહાર કાઢવા અને તેમને સારવાર માટે પુરી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવા માટે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રે ગ્રાન્ડ રોડ પર ભીડને નિયંત્રિત કરવા માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા અને કટોકટી તબીબી ટીમો તૈનાત કરી છે.
