તુલસીનો નિયમિત ઉપયોગ માત્ર ત્વચાને જ સ્વસ્થ રાખતો નથી, પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે. તે સસ્તો, કુદરતી અને દરેક ઘરમાં ઉપલબ્ધ ઉપાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, જો ખીલ કે ડાઘની સમસ્યા ખૂબ ગંભીર હોય, તો આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. તુલસીની સાથે સ્વચ્છતા, સંતુલિત આહાર અને પૂરતું પાણી પીવાથી ત્વચાની ચમક અનેકગણી વધી શકે છે.

