ઉજ્જૈન, મહાકાલ મંદિર
ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર છે, જે ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં સૌથી ખાસ માનવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિરમાં દરરોજ થતી ભસ્મ આરતી જોવા લાયક છે. કહેવાય છે કે, જીવનમાં જ્યારે કોઇ મુશ્કેલીનો હલ કે માર્ગ ન મળે ત્યારે ઉજ્જૈનના મહાકાલે મંદિરમાં દર્શન કરવાથી આપો આપ બંધ દરવાજા ખુલવા લાગશે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિર, હરસિદ્ધિ મંદિર, કાળ ભૈરવ મંદિર દર્શનિય છે. ઉજ્જૈનથી નજીક અન્ય એક જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરના દર્શન અચૂક કરવા જોઇએ. અહીં નર્મદા નદીમાં સ્નાન કરવું પુણ્યદાયી હોય છે.
