iPhone Langar : ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરના રોજ આઈફોનનું લંગર લાગશે. અમૃતસરના બિઝનેસમેન અને ઇન્ફ્લુએન્સર રાકેશ ત્રેહાન ઉર્ફે રાજા ડી કિંગે પીટીઆઈ સમક્ષ આઇફોન લંગાવવાની મોટી જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે આઇફોન લંગરની તારીખ આવી ગઈ છે. સૌ પ્રથમ 22 સપ્ટેમ્બરના રોજ આઇફોન 17 અને તેનાથી ઉપરના મોડેલો લોકોને મફતમાં વિતરિત કરવામાં આવશે.
રાજા ડી કિંગે જણાવ્યું છે કે લંગર 22 સપ્ટેમ્બરે થશે, જેમાં આઇફોન આપવાનું કામ મીડિયા અને સામાન્ય લોકો સામે લાઇવ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે માત્ર આઇફોન 17 અને તેનાથી ઉપરના મોડલનું વિતરણ કરવામાં આવશે, આમાં આઇફોન 16 સામેલ રહેશે નહીં. શરૂઆતમાં આઇફોન 16 નું વિતરણ કરવાની યોજના હતી, પરંતુ પછી મેં વિચાર્યું કે લોકોને કષ્ટ થશે કે મને આ લેટેસ્ટ ફોમ કેમ મળ્યો નહીં.
આ લંગરની જાહેરાત સૌથી પહેલા ઓગસ્ટમાં કરવામાં આવી હતી, પરંતુ શુક્રવારે તેની તારીખ નક્કી કરવામાં આવી છે. ભારતમાં આઇફોન 18 વેચાણ શરુ થયું છે તે જ દિવસે આ તારીખની જાહેરાત કરાઇ છે. રાજા ડી કિંગે જણાવ્યું હતું કે ચંદીગઢ અને મોહાલીથી પસંદ કરાયેલા લોકોને સાર્વજનિક રુપથી લકી નામ નીકાળ્યા પછી ફોન આપવામાં આવશે.
ઇવેન્ટની જાહેરાત કરતા એક વીડિયોમાં રાડા ડી કિંગે કહ્યું હતું કે ફોન અહીં જ દરેકની સામે લાઇવ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મીડિયા અને તે લોકોને પણ બોલાવવામાં આવશે જેમણે તેની અગાઉની પહેલનું સમર્થન કર્યું છે.
22 સપ્ટેમ્બરથી દરેકની સામે આઈફોનનું વિતરણ લાઇવ શરૂ થશે
પીટીઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે 22 સપ્ટેમ્બરથી આ સ્થળે દરેકની સામે આઈફોનનું વિતરણ લાઇવ શરૂ થશે, તમામ મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે જેમને આમંત્રિત કરીએ છીએ તેમનું સ્વાગત છે. જે લોકો અગાઉ અહીં આવ્યા છે અને જેમણે સહકાર આપ્યો છે તેમને પણ આમંત્રિત કરવામાં આવશે.
VIDEO | Chandigarh: On organising a langar of iPhones on September 22, Raja D King says, “…On September 22, the distribution will start reside right here at this very place, in entrance of everybody. All media are invited. Everybody we invite will probably be welcome. Those that have come right here… pic.twitter.com/PGzYhqHlAx
— Press Belief of India (@PTI_News) September 18, 2026
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચંદીગઢ અને મોહાલીના પસંદ કરેલા લોકોને આઇફોન આપવામાં આવશે અને ત્યાં હાજર લોકોની સામે આઇફોન આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે લકી લોકોના નામ બધાની સામે ખોલવામાં આવશે અને તેમને આઈફોન મળશે.
આ પહેલા રાજા ડી કિંગ ચંદીગઢમાં એક અનોખા ‘પેટ્રોલ લંગર’ દ્વારા ચર્ચામાં આવ્યો હતો. ઓગસ્ટમાં તેણે જાહેરાત કરી હતી કે ટુ વ્હીલર અને થ્રી વ્હીલરના માલિકોને 500 રૂપિયાના ફ્યુઅલ કૂપન મળશે, જ્યારે ફોર વ્હીલરના માલિકોને 1,000 રૂપિયાની કુપન મળશે.
પ્રથમ પેટ્રોલ લંગરના પ્રયાસમાં શું થયું હતું
જોકે પહેલો પ્રયાસ યોજના મુજબ થયો ન હતો. ભારે વરસાદ હોવા છતાં સેંકડો લોકો ચંદીગઢના સેક્ટર 10 ના પેટ્રોલ પંપ પર એકઠા થયા હતા, જેમાંથી કેટલાક વચન મુજબ પેટ્રોલ મેળવવા માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી અને આખરે પેટ્રોલ પંપ બંધ કરવો પડ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તે દિવસે પેટ્રોલનું વિતરણ કરવામાં આવ્યું ન હતું.
ટીએમસી વિવાદમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મમતા અને બળવાખોર જૂથને મળ્યા નવા નામ અને ચૂંટણી ચિન્હ
આ પછી રાજા ડી કિંગે કહ્યું હતું કે પેટ્રોલ લંગર ફક્ત મુલતવી રાખવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ પછી તેને ફરીથી આયોજન કરવાનો વાયદો કર્યો હતો. તેણે આ મૂંઝવણથી અસુવિધા અનુભવનાર લોકોની માફી પણ માંગી હતી.
હવે આઇફોન લંગર સાથે રાજા ડી કિંગ મફતમાં વિતરણ કરવાનો તેમના આઈડિયાને આગળ લઇ જઈ રહ્યા છે. તેઓ ફ્યુઅલ કૂપનને બદલે સ્માર્ટફોનનું વિતરણ કરશે અને તેમણે વાયદો કર્યો છે કે આ વિતરણ 22 સપ્ટેમ્બરે બધાની સામે કરવામાં આવશે.
