ઉત્તર ગુજરાતમાં વરિયાળી ખેડૂતો માટે મહત્વનો રોકડિયો પાક છે. સારા ભાવ મળતા હોવાથી, ખેડૂતો ખેતી પાછળ વધુ ખર્ચ કરે છે અને સારી કમાણીની આશા રાખે છે. ખાતર, દવા, મજૂરી અને પિયતના ખર્ચને ધ્યાનમાં લેતા, ખેડૂતો આ પાકથી આવક મેળવવાની અપેક્ષા રાખતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી કાળી ઈયળો અને અન્ય જીવાતોના ઉપદ્રવને કારણે ખેડૂતોની આ આશાઓ પર પાણી ફરી વળવાની ભીતિ છે.

