જો તમે નાણાકીય વર્ષ દરમિયાન શેર, મ્યુચ્યુઅલ ફંડ, પ્રોપર્ટી કે અન્ય કોઈ સંપત્તિ વેચી છે, તો તેની માહિતી બ્રોકર, રજિસ્ટ્રાર અને અન્ય મધ્યસ્થીઓ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગ સુધી પહોંચી જાય છે. પોતાના ITR માં કેપિટલ ગેઇન્સની ખોટી ગણતરી કરવા, શેરબજારના ટ્રાન્ઝેક્શન ન દર્શાવવા કે કરપાત્ર નફાને છુપાવવાની સ્થિતિમાં નોટિસ આવવી લગભગ નક્કી હોય છે.
