અયોધ્યા વિવાદથી VHP ને ફટકો : રામ મંદિરમાં ઉચાપત કેસથી ‘મંદિર મુક્તિ અભિયાન’ નબળું પડ્યું? સંઘની અંદર વધી ચિંતા

અયોધ્યા વિવાદથી VHP ને ફટકો : રામ મંદિરમાં ઉચાપત કેસથી ‘મંદિર મુક્તિ અભિયાન’ નબળું પડ્યું? સંઘની અંદર વધી ચિંતા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Ayodhya Ram Mandir Controversy : અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં કથિત રીતે દાનની ઉચાપત કરવાના વિવાદે સંઘ પરિવારમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) ને મોટો ઝટકો આપ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ લાંબા સમયથી હિન્દુ મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહ્યું છે, પરંતુ આ વિવાદે તેની સામે નવી ચિંતાઓ ઉભી કરી છે.

જોકે વિશ્વ હિન્દુ પરિષદે (VHP) સત્તાવાર રીતે કહ્યું છે કે કથિત ચોરીથી તેના પ્રયત્નો પર કોઈ અસર પડશે નહીં. બીજી તરફ આરએસએસના વ્યાપક માળખામાં ઘણા સંગઠનો માને છે કે રામ મંદિર વિવાદને કારણે મંદિરોને સરકારના નિયંત્રણમાંથી મુક્ત કરવાની બાબતમાં ઝટકો લાગ્યો છે.

2021 માં વીએચપી પ્રસ્તાવ પારિત કર્યો હતો

વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે અત્યારે એવું લાગે છે કે આ અભિયાન ખટાઇમાં પડી ગયું છે. વિશ્વ હિન્દુ પરિષદે મંદિરોના મામલામાં સરકારી હસ્તક્ષેપના મુદ્દાને સતત ઉઠાવે છે. 17-18 જુલાઈ, 2021 ના રોજ ફરીદાબાદમાં યોજાયેલી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં વિશ્વ હિન્દુ પરિષદે કેન્દ્રને હિન્દુ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને હિન્દુ સમાજને સોંપવાનો કાયદો ઘડવા જણાવ્યું હતું.

આ પ્રસ્તાવમાં એ વાત પર ભાર આપવામાં આવ્યો હતો છે કે શ્રદ્ધાળુ તેમની ક્ષમતા પ્રમાણે મંદિરો દ્વારા સંચાલિત ધાર્મિક, શૈક્ષણિક, આરોગ્ય અને સામાજિક પ્રવૃત્તિઓના સમર્થનમાં દાન આપે. આ સિવાય એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે મંદિરોને સરકારી સંપત્તિ ન ગણવી જોઈએ.

મંદિરના પૈસા સરકારી તિજોરીમાં જવાની વાત

આટલું જ નહીં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને તેની સાથે સંકળાયેલા ધાર્મિક નેતાઓએ ઘણી વાર તેમની માંગણીને સાબિત કરવા માટે મોટી આર્થિક રકમનો ઉલ્લેખ કર્યો છે. 24 જાન્યુઆરી 2025 ના રોજ પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં અવધેશાનંદ ગિરીએ દાવો કર્યો હતો કે મંદિરોમાંથી 1.86 લાખ કરોડ રૂપિયાનું દાન સરકારી તિજોરીમાં આવી રહ્યું છે.

ગયા વર્ષે જુલાઈમાં મહારાષ્ટ્રના જલગાંવમાં યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે મંદિરોનું સંચાલન હિન્દુઓ દ્વારા થવું જોઈએ અને તેમના ભંડોળનો ઉપયોગ ફક્ત હિન્દુ સમાજના ફાયદા માટે થવો જોઈએ.

નવી રણનીતિ બનાવવામાં આવશે

વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે સંગઠનનું મનોબળ હજી પણ અકબંધ છે. અમે ઘણા રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓને મળ્યા છીએ. 19-20 જુલાઈએ દિલ્હીમાં યોજાનારી બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. 

આરએસએસ ને કઇ વાતની છે ચિંતા?

રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા આરએસએસના કેટલાક વરિષ્ઠ પ્રચારકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશના એક અગ્રણી રણનીતિકારે કહ્યું કે અયોધ્યામાં તાજેતરની ઘટનાએ હિન્દુ મંદિરોને મુક્ત કરવાના અભિયાનને નબળું પાડ્યું છે. રામ મંદિરમાં પ્રસાદ અને દાનનું યોગ્ય રીતે સંચાલન કરવામાં નિષ્ફળતાએ ખુલ્લું પાડ્યું છે કે આ કામ માટે યોગ્ય લોકોની પસંદગી કરી નથી. આપણે આગળ વધતા પહેલા લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો પડશે. 

કથિત ચોરીને મોટો ઝટકો ગણાવતા અન્ય એક પ્રચારકે કહ્યું કે રામ જન્મભૂમિ કોઈ સામાન્ય મંદિર નથી. જો આપણે અહીં નિષ્ફળ જઈશું તો લોકો સ્વાભાવિક રીતે જ અન્ય મંદિરોના સંચાલન કરવાની આપણી ક્ષમતા પર સવાલ ઉઠાવશે. જોકે લોકોએ એ ન ભૂલવું જોઈએ કે સરકારી મંદિરોમાં પણ આવા આક્ષેપો કરવામાં આવે છે. સત્ય એ છે કે તે મંદિરોમાં સમયાંતરે ભંડોળના ગેરવહીવટ અને અન્ય સંબંધિત આક્ષેપો વધુ ગંભીર રહ્યા છે. 

જોકે ચિંતાઓ હોવા છતાં વિશ્વ હિન્દુ પરિષદ તેની માંગના સમર્થનમાં દેશભરના ધારાસભ્યોને મળીને તેના અભિયાનને વધુ તીવ્ર બનાવવાની યોજના બનાવી રહી છે. મંદિરના આઝાદ કરાવવાના અભિયાનમાં સામેલ વીએચપીના એક નેતાએ જણાવ્યું હતું કે આ એક ઝટકો છે, પરંતુ લોકોની યાદશક્તિ જલદી કમજોર થઇ જાય છે. આ આક્ષેપો છતાં અયોધ્યામાં પ્રસાદ, દાન અને ભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. થોડા મહિનાઓમાં આ વસ્તુ ભૂલાઇ જશે. 

તાત્કાલિક પગલાં લેવા પર ભાર

બીજી બાજુ અન્ય કાર્યકર્તાનો મત જુદો હતો. તેમણે તાત્કાલિક કાર્યવાહીને આવશ્યકતા તરીકે વર્ણવી હતી. તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો પડશે. આગામી કેટલાક મહિના નિર્ણાયક છે. અયોધ્યામાં નોંધાયેલી એફઆઈઆરની ઝડપથી તપાસ થવી જોઈએ અને ઝડપથી સુનાવણી થવી જોઈએ. બધું તેના પર નિર્ભર છે કે આપણે વિશ્વાસને કેટલી અસરકારક રીતે પુનઃસ્થાપિત કરીએ છીએ. 

એક અંદાજ મુજબ દેશમાં લગભગ 10 લાખ મંદિરો છે. જોકે તે પણ એક હકીકત છે કે આ અંગે કોઈ સત્તાવાર અને વ્યાપક ગણતરી કરવામાં આવી નથી. આમાંના મોટા ભાગના નાના છે અને સમુદાય દ્વારા સંચાલિત છે, જ્યારે મોટા મંદિરોના વહીવટ લાંબા સમયથી વિવાદાસ્પદ છે. ઘણા મંદિરો રાજ્ય-વિશિષ્ટ કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે, જેના કારણે તેઓ સરકારના નિયંત્રણ હેઠળ છે.

શું વીએચપી ફરીથી અભિયાનને વેગ આપી શકશે?

થોડાં વર્ષો પહેલાં અખિલ ભારતીય આચાર્ય સભાના મહાસચિવ સ્વામી પરમાત્માનંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં આ મુદ્દાઓને ઉકેલવા માટે વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અયોધ્યા વિવાદે ફરી એકવાર એ વાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે શું વિશ્વ હિન્દુ પરિષદ આ પડકારને પાર કરી શકશે અને તેના મુખ્ય મંદિર મુક્તિ અભિયાનને વેગ આપી શકશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *