વીરભદ્ર મંદિર, લેપાક્ષી, આંધ્ર પ્રદેશ
આંધ્ર પ્રદેશના લેપાક્ષીમાં આવેલું વીરભદ્ર મંદિર તેના ‘લટકતા સ્તંભ’ માટે પ્રખ્યાત છે. આ મંદિરમાં લગભગ 70 પથ્થરના સ્તંભો છે, જેમાંથી એક જમીન સંપૂર્ણ રીતે સ્પર્શતો નથી. સ્થાનિકોનો દાવો છે કે તેની નીચેથી કપડું અથવા કાગળ સરળતાથી આરપાર નીકળી જાય છે. સ્થાનિક દંતકથાઓ અનુસાર, બ્રિટીશ સમયગાળાના ઇજનેરોએ આ રહસ્યને સમજવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે થાંભલાને ખસેડવામાં આવ્યો ત્યારે આસપાસના સ્તંભોના સંતુલનને અસર થવા લાગી, ત્યારબાદ તેમણે અભ્યાસ બંધ કરી દીધો. આ સ્તંભ મંદિરના સમગ્ર માળખાના ભારને સંતુલિત કરવામાં કેવી રીતે મદદ કરે છે તે આજે પણ ઇજનેરો અને સ્થાપત્ય નિષ્ણાતો માટે એક રહસ્ય છે.
