ધન રાશિ: ગુરુ તમારી જ રાશિના સ્વામી છે, તેથી જ્યારે તેઓ ચંદ્ર સાથે ત્રિ-એકાદશ યોગ બનાવશે, ત્યારે તમારા જીવનમાં સુધારો આવશે. કેટલાક લોકોને કાર્યક્ષેત્રમાં પદોન્નતિ (પ્રમોશન) મળી શકે છે, જ્યારે મિલકતને લગતો કોઈ વિવાદ પણ ઉકેલાઈ શકે છે. ભાગ્યના સહયોગથી આ રાશિના જાતકોને આવકના વધારાના સ્ત્રોત મળી શકે છે અને બચતમાં પણ વધારો થવાના યોગ છે. ધન રાશિના જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે, તેમને પણ નફો મળવાની શક્યતા છે. પરિણીત જાતકો જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશે.
