હોર્મુઝ પર ઈરાને ભારત સામે શરત મૂકી: જહાજોને રસ્તો આપવા બદલ આ ડિમાન્ડ કરી

હોર્મુઝ પર ઈરાને ભારત સામે શરત મૂકી: જહાજોને રસ્તો આપવા બદલ આ ડિમાન્ડ કરી

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ઈરાને ખાલી પોતાના તેલ ટેન્કર જ પાછા નથી માગ્યા. એક ઈરાની અધિકારીએ રોયટર્સને જણાવ્યું છે કે ઈરાને ભારત પાસેથી અમુક ખાસ દવાઓની પણ માગ કરી છે.

News18
News18

ઈરાને ભારત સામે એક માગ રાખી છે. ઈરાને ભારતને પોતાના ત્રણ જપ્ત કરેલા તેલ ટેન્કર પાછા માગ્યા છે. તેના બદલામાં ઈરાને વિશ્વાસ અપાવ્યો છે કે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત કાઢવાનો રસ્તો આપશે. આ જાણકારી સોમવારે સમાચાર એજન્સી રોયટર્સના એક રિપોર્ટમાં સામે આવી છે. જો કે ભારત તરફથી આ દાવા વિશે કોઈ વાત સામે આવી નથી.

ભારતે થોડા સમય પહેલા ત્રણ તેલ ટેન્કરને પકડ્યા હતા. ભારત સરકારનો આરોપ હતો કે ટેન્કર પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યા હતા. આ જહાજ પોતાની અવરજવરની જાણકારી પણ બદલી રહ્યા હતા. આરોપ છે કે આ દરિયામાં ખોટી રીતે એક જહાજથી બીજા જહાજમાં તેલ અને સામાન ટ્રાંસફર કરી રહ્યા હતા. આ ત્રણ જહાજોના નામ અલ્ફાલ્ટ સ્ટાર, અલ ઝાફઝિયા અને સ્ટેલર રુબી છે. રોયટર્સના રિપોર્ટ્સ અનુસાર, સ્ટેલર રુબી પર ઈરાનનો ઝંડો લાગેલો હતો. બાકીના બે જહાજ એટલે કે અસ્ફાલ્ટ સ્ટાર અને અલ ઝાફઝિયા પર નિકારાગુઆ અને માલી દેશના ઝંડા લાગેલા છે. ભારતે આ જ કારણથી તેમના પર રોક લગાવી રાખી છે.

દવા અને મેડિકલ સામાનની માગ

ઈરાને ખાલી પોતાના તેલ ટેન્કર જ પાછા નથી માગ્યા. એક ઈરાની અધિકારીએ રોયટર્સને જણાવ્યું છે કે ઈરાને ભારત પાસેથી અમુક ખાસ દવાઓની પણ માગ કરી છે. તેની સાથે જ અમુક મેડિકલ ઉપકરણોની પણ સપ્લાય માગી છે. આ સમગ્ર મુદ્દા પર બંને દેશો વચ્ચે કૂટનીતિક વાતચીત ચાલી રહી છે. નવી દિલ્હીમાં ઈરાનના રાજદૂતે સોમવારે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. આ બેઠકમાં આ જ માગો પર ચર્ચા થઈ છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું?

વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલા પર પોતાની વાત રાખી છે. એસ જયશંકરનું માનવું છે કે ઈરાન સાથે સીધી વાત કરવાનો યોગ્ય રસ્તો છે. પશ્ચિમ એશિયામાં હાલના સમયમાં તણાવ ચાલી રહ્યો છે. આ તણાવની વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને સુરક્ષિત રાખવા માગે છે. બ્રિટનના અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું કે ભારત હોર્મુઝને ફરીથી સુચારુ કરવા માટે ઈરાન સાથે સતત વાત કરી રહ્યું છે. હોર્મુઝ દુનિયાનો એક મહત્ત્વનો સમુદ્રી રસ્તો છે. દુનિયાના લગભગ 20 ટકા તેલ વેપાર આ રસ્તેથી પસાર થાય છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું?

વિદેશ મંત્રી એસ જયશંકરે આ મામલા પર પોતાની વાત રાખી છે. એસ જયશંકરનું માનવું છે કે ઈરાન સાથે સીધી વાત કરવાનો યોગ્ય રસ્તો છે. પશ્ચિમ એશિયામાં હાલના સમયમાં તણાવ ચાલી રહ્યો છે. આ તણાવની વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને સુરક્ષિત રાખવા માગે છે. બ્રિટનના અખબાર ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું કે ભારત હોર્મુઝને ફરીથી સુચારુ કરવા માટે ઈરાન સાથે સતત વાત કરી રહ્યું છે. હોર્મુઝ દુનિયાનો એક મહત્ત્વનો સમુદ્રી રસ્તો છે. દુનિયાના લગભગ 20 ટકા તેલ વેપાર આ રસ્તેથી પસાર થાય છે.

જયશંકરે જણાવ્યું કે, ઈરાન સાથે આ વાતચીતના અમુક પરિણામો પણ સામે આવી રહ્યા છે. ભારતનું માનવું છે કે ઈરાનથી અલગ થવાની જગ્યા તેની સાથે વાત કરી તાલમેલ બેસાડવું વધારે અસરકાર સાબિત થઈ રહ્યું છે. જો કે જયશંકરે એવું પણ કહ્યું કે હાલમાં તમામ ભારતીય જહાજો માટે કોઈ એક નક્કી વ્યવસ્થા નથી બની. હાલમાં એક એક કરીને જહાજોને ત્યાંથી સુરક્ષિત કાઢવાનું કામ થઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *