નોંધનીય છે કે, ધુળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને અનેરો આનંદ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઈ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે, હવે આગામી 3 તારીખે બપોરે 2:00 થી 3:00 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.

