26 વર્ષ પહેલાં, 1999માં, જ્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું, ત્યારે લગભગ કોઈ ભારતીય શસ્ત્ર ઉત્પાદક કંપનીઓ નહોતી અને ભારત ફક્ત વિદેશી દેશો પાસેથી જ શસ્ત્રો ખરીદતું હતું. પરંતુ હવે ભારત શસ્ત્ર આયાતકારમાંથી શસ્ત્ર નિકાસકાર દેશ બની ગયો છે. ભારતની 18 થી વધુ શસ્ત્ર સંબંધિત કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. યુદ્ધ ફાટી નીકળતાંની સાથે જ આ કંપનીઓના શેર વધવા લાગ્યા છે. આ ઉપરાંત, 2025નું ભારત શસ્ત્રો, સેના અને પૈસાની દ્રષ્ટિએ 1999 કરતાં વધુ મજબૂત છે, જ્યારે પાકિસ્તાન આ ત્રણેય પાસાઓમાં 1999 કરતાં ઘણું નબળું છે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો)
