11 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનાર ખેડૂત નેતા રાજુ કરપડાની 7 દિવસમાં થયેલી 3 મુલાકાત ચર્ચાના કેન્દ્રમાં છે. મુલાકાતો થઈ પરંતુ બંધ બારણે શું ચર્ચા થઈ એ મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે. જોકે, રાજુ કરપડાએ પણ આ મામલે પોતાનો મત સ્પષ્ટ કર્યો છે. સોમવારે મૂળીના ગઢાદમાં ખેડૂતોનું સંમેલન યોજાશે. જેમાં રાજુ કરપડા પણ હાજર રહેશે. આ સંમેલનમાં જ કરપડા ભાજપમાં જવું કે કોંગ્રેસમાં એનો પહેલો વરતારો કાઢશે.
Source link
