શું લાંબા સમયથી RO નું પાણી પીવાથી શરીરમાં થઇ શકે છે મિનરલ્સની ઉણપ? જાણો WHO નો રિપોર્ટ અને એક્સપર્ટ્સની સલાહ

શું લાંબા સમયથી RO નું પાણી પીવાથી શરીરમાં થઇ શકે છે મિનરલ્સની ઉણપ? જાણો WHO નો રિપોર્ટ અને એક્સપર્ટ્સની સલાહ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


RO Water Well being Dangers : શું તમે જાણો છો કે  જે RO વોટરને તમે સૌથી શુદ્ધ માનીને પી રહ્યા છો તે પાણીમાંથી ગંદકી દૂર કરવાની સાથે-સાથે કેટલાક જરુરી મિનરલ્સ પણ ઘટાડી શકે છે? આરઓ વોટર પ્યુરિફાયરનો ઉપયોગ ઘણા ભારતીય ઘરોમાં સામાન્ય બની ગયો છે. આ પ્રક્રિયામાં પાણીમાં હાજર કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી મિનરલ્સને ઘણી હદ સુધી ફિલ્ટર કરવામાં આવે છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિને સંતુલિત આહાર ન મળે તો લાંબા સમય સુધી આ પાણીનું સેવન હાડકાના સ્વાસ્થ્ય અને શરીરના મિનરલ્સ સંતુલનને અસર કરી શકે છે. જો તમારા ઘરમાં ઘણા વર્ષોથી આરઓ વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે, તો પછી શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની પૂરતી માત્રા જાણવી મહત્વપૂર્ણ છે.

મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને રિનલ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો.નિખિલ ભસીને જણાવ્યું હતું કે ફિલ્ટરેશન અશુદ્ધિઓને હટાવવાની સાથે-સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ ઘટાડે છે. જોકે નિષ્ણાતો એમ પણ કહે છે કે પીવાનું પાણી એ સામાન્ય રીતે આ પોષક તત્વોનો મુખ્ય સ્ત્રોત નથી. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મોટાભાગનું કેલ્શિયમ અને મેગ્નેશિયમ આપણને ખોરાકમાંથી મળે છે, પાણીથી નહીં. જો કોઈ વ્યક્તિ ડેરી ઉત્પાદનો, દાળ, બદામ, બીજ અને શાકભાજી જેવા સંતુલિત આહાર લે છે તો ફક્ત આરઓ પાણી પીવાથી ખનિજની ઉણપનું જોખમ ઘટે છે. જ્યારે કોઈ વ્યક્તિનો આહાર પોષક દ્રષ્ટિએ નબળો હોય ત્યારે સમસ્યા થઈ શકે છે.

ડબ્લ્યુએચઓ ચેતવણી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી ખૂબ ઓછા ટીડીએસ વાળું પાણી દિલના રોગ અને હાડકાની નબળાઈ થવાનું જોખમ વધી શકે છે. ડબ્લ્યુએચઓ તરફથી આ ચેતવણીઓ તે લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે જેઓ આરઓ પાણી પર સંપૂર્ણપણે નિર્ભર છે. ડબ્લ્યુએચઓના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવે છે કે પાણીમાંથી મિનરલ્સને સંપૂર્ણપણે દૂર કરવાથી સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ શકે છે. 

આ પણ વાંચો – નબળી થઇ રહી છે આંખોની રોશની? આ 5 આદતોથી મળી શકે છે મદદ, ડોક્ટર પાસેથી સાચી રીત જાણો

સંશોધન બતાવે છે કે ખૂબ ઓછા ટીડીએસ (50 થી ઓછું) સાથે પાણી પીવાથી શરીરમાં મેગ્નેશિયમની ઉણપ થાય છે. મેગ્નેશિયમની ઉણપ હાઈ બીપીનું જોખમ સીધું વધારે છે. મેગ્નેશિયમની ઉણપને કારણે હૃદયના સ્નાયુઓ સખત થાય છે. ડબ્લ્યુએચઓના રિપોર્ટ અનુસાર ઓછા ટીડીએસવાળું પાણી રાસાયણિક રીતે અસ્થિર છે. આ પાણી જે પાઇપ અથવા વાસણમાં રાખવામાં આવે છે તેમાંથી ધાતુઓને પોતાનામાં ઓગાળવાની ક્ષમતા ધરાવે છે. આ શરીરમાં ભારે ધાતુઓની ઝેરી અસર વધારી શકે છે.

શરીરમાં મિનરલ્સની અછતને કેવી રીતે શોધવી?

ડો.ભસીનના જણાવ્યા અનુસાર કેટલાક ટેસ્ટ શરીરમાં મિનરલ્સની ઉણપને શોધવામાં મદદ કરી શકે છે જેમ કે સીરમ કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન ડી, કિડની ફંક્શન ટેસ્ટ, ઇલેક્ટ્રોલાઇટ્સ ટેસ્ટ.

જો કોઈને સ્નાયુઓમાં ખેંચાણ, થાક અથવા હાડકામાં દુખાવો જેવા લક્ષણો હોય, તો આ ટેસ્ટની મદદથી ઉણપને શોધવામાં મદદ કરશે. લાંબા સમયથી તણાવ હોવા પર અથવા ઉંમર વધારે હોવા પર બોન ડેંસિટી સ્કેન પણ કરી શકાય છે, ખાસ કરીને જો ઓસ્ટિઓપોરોસિસનું જોખમ હોય તો.

ટીડીએસનું યોગ્ય સ્તર કેટલું હોવું જોઈએ

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઈએસ) પાણીનું ટીડીએસ સામાન્ય રીતે અનુસાર 250-500 મિલિગ્રામ /લિટરને આદર્શ માનવામાં આવે છે.

શું 10 વર્ષ સુધી આરઓનું પાણી પીવાથી નુકસાન થઈ શકે છે?

ડો.ભસીન કહે છે કે મોટાભાગના લોકોમાં માત્ર આરઓનું પાણી પીવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થવાની સંભાવના ઓછી છે. નિષ્ણાતે કહ્યું કે પાણીમાં રહેલા મિનરલ્સ કરતાં આહાર અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો વધુ મહત્વપૂર્ણ છે. આરઓ સિસ્ટમ કેટલાક ઉપયોગી મિનરલ્સને દૂર કરી શકે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સંતુલિત આહાર લે છે તો તે સામાન્ય રીતે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરતું નથી.

જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી મિનરલ્સ વિના આરઓ પાણી પી રહ્યા છે તો સૌથી પહેલા તેણે તેના આહાર પર ધ્યાન આપવું જોઈએ. કેલ્શિયમથી ભરપૂર ખોરાક, લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ અને પૂરતા પ્રમાણમાં પ્રોટીનને આહારમાં સામેલ કરો. 

  • જો તપાસમાં કોઈ ઉણપ છે, તો ડોક્ટરની સલાહથી સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે. નિષ્ણાતે કહ્યું કે દવા જાતે ન લેવી. 
  • પાણીની સિસ્ટમમાં પણ ફેરફાર કરી શકાય છે, જેમ કે રિ-મિનરલાઇઝ્ડ આરઓ સિસ્ટમનો ઉપયોગ.
  • આરઓમાં મિનરલ કાર્ટિજ લગાવવા.
  • જ્યાં સુધી સુરક્ષિક હોય ત્યાં સુધી કુદરતી મિનરલ પાણીનો ઉપયોગ કરવો.

ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય માહિતી અને નિષ્ણાતના અભિપ્રાયો પર આધારિત છે. પાણીની ગુણવત્તા અને તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર કોઈ ફેરફાર કરતા પહેલા સંબંધિત નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ લો. અમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ દાવાઓની પૃષ્ટી કરતા નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *